header

ગુજરાતના મેળાઓ (Fairs of Gujarat)

 

ગુજરાત મેળા



ગુજરાતમાં દર વર્ષે નાના - મોટા 1600 ઉપરાંત મેળાઓ યોજાય છે . આમાંથી 500 થી વધુ મેળાઓ શ્રાવણ માસમાં યોજાય છે . 

સૌથી વધુ , આશરે 159 મેળાઓ સુરત જિલ્લામાં અને 

સૌથી ઓછા , આશરે 7 મેળાઓ ડાંગ જિલ્લામાં યોજાય છે . 

કેટલાક પ્રચલિત મેળાઓ નીચે પ્રમાણે છે


વૌઠાનો મેળો - કારતકી પૂનમના દિવસે , ગુજરાતનો સૌથી મોટો લોકમેળો , સાત નદીઓનો સંગમ , ગધેડાંની મોટે પાયે લેવેચ થાય છે .

તરણેતરનો મેળો-ભાદરવા સુદ 4-5-6 ના રોજ ત્રિનેત્રેશ્વરમહાદેવનું મંદિર , સુંદર ભરત ભરેલી છત્રીઓ સાથે યુવકોઘૂમતા હોય છે . દાંડિયા રાસ અને ભજન કીર્તનનું આગવું આકર્ષણ .

ભવનાથનો મેળો- ગિરનાર, શિવરાત્રિના દિવસે મહાવદતેરસ , સાધુ સંતો અને નાગાબાવાઓનું વિશેષ આકર્ષણ .

ડાકોરનો મેળો – દર પૂનમેભરાય છે , પણ ફાગણ પૂર્ણિમા હોળી અને માણેકઠારી પૂનમનામેળાનું વિશેષ મહત્ત્વ હોય છે

શામળાજીનો મેળો -  દર પૂનમેભરાય છે . પણ કાર્તિકીપૂર્ણિમાનામેળાનું વિશેષ મહત્ત્વ હોય છે , આદિવાસીઓ મોટી સંખ્યામાં ઊમટી પડે છે.

સિદ્ધપુરનોકાર્તિકી પૂર્ણિમાનો મેળો સરસ્વતી નદીના પટમાંભરાય છે . ઊંટની લેવેચ મોટે પાયે થાય છે .

અંબાજીનોભાદરવીપૂનમનો મેળો -દર પૂનમે મેળો ભરાય છે , પરંતુ ભાદરવીપૂનમનું વિશેષ મહત્ત્વ હોય છે.

બહુચરાજીનો ચૈત્રી પૂનમનો મેળો -દર પૂનમે મેળો ભરાય છે , પરંતુ ચૈત્રી પૂનમનું વિશેષ મહત્ત્વ હોય છે .

દ્વારકાનો જન્માષ્ટમીનો મેળો કૃષ્ણજન્મોત્સવ પ્રસંગે મેળો ભરાય છે .

પલ્લીનો મેળો - રૂપાલ આસો સુદ નોમના દિવસે વરદાયિની માતાની પલ્લી નીકળે છે

ભરૂચનોમેઘમેળો - ભરૂચ શ્રાવણ વદ નોમના દિવસે મેઘરાજાની છડી ઝુલાવવાનો ઉત્સવ .

શુકલતીર્થનોકાર્તિકી પૂર્ણિમાનો મેળો - શુકલતીર્થ

ભાડભૂતનો મેળો , ભાડભૂતેશ્વર મંદિર .

ચૈત્રી સુદ આઠમનોપાવાગઢનો મેળો -પાવાગઢ

ગોપનાથમહાદેવનો મેળો -ગોપનાથ , શ્રાવણ મહિનાની અમાસભરાય છે .

માધવરાયનો મેળો - માધવપુર  ચૈત્ર મહિનામાં ભરાય છે .

ચિત્રવિચિત્રનો મેળો - ખેડબ્રહ્મા તાલુકાના ગુંભખેરી ગામમાં ભરાતો આદિવાસી મેળો .

જખનો મેળો - નખત્રાણા પાસે કાકડભીઠમાં
 
મોટા કોટલનો મેળો - સંતરામપુર પાસે કોટલમાંભરાતો આદિવાસી મેળો .

શાહઆલમ અને સરખેજનામેળા - અમદાવાદમાં ભરાતા મુસ્લિમ મેળા છે .

પાલીતાણાનો જૈન મેળો .

રાપર નો રવેચીમાનો મેળો .

વરાણાનોલોકમેળો , ખોડિયાર મંદિર , મહાસુદઆઠમના દિવસે .

પાલોદર  નો મેળો , ચોસઠ જોગણી માતાનામંદિરે , ફાગણ વદ અગિયારસથીતેરસ સુધી ભરાય છે . પાક અને વરસાદનાવરતારાની આગાહી કરવામાં આવે છે .

શંખલપુર ચૈત્રી પૂનમ અને અષાઢીબીજના દિવસે મેળો ભરાયછે

દૂધરેજ  નો અષાઢી બીજનો મેળો .

સોમનાથનો મેળો , કાર્તિકી પૂર્ણિમાનો મોટો મેળો ભારય છે .

ફાગવેલ , ભાથીજી મંદિર , કારતક સુદ - એકમના રોજ મોટો મેળો ભરાય છે .

ઉત્કંઠેશ્વર , ઉત્કંઠેશ્વરમહાદેવનામંદિરે , તેમજ વાત્રક નદીના પટમાંશિવરાત્રિએ મોટો મેળો ભરાય છે .

ઝુંડનો મેળો - ચોરવાડ.

રિખવદેવનો જૈન મળો
 
ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ , જાન્યુઆરી મહિનામાં .

રણોત્સવ , કચ્છનારણપ્રદેશમાં , મોટે ભાગે ડિસેમ્બરમાં .

તાનારીરી સંગીત મહોત્સવ , વડનગર .

ડાંગ દરબાર , આહવા , આદિવાસી નૃત્ય મહોત્સવ , માર્ચ મહિનામાં .

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ , અમદાવાદ , જાન્યુઆરી મહિનામાં .

વસંતોત્સવ , સંસ્કૃતિ કુંજ , ગાંધીનગર , ફેબ્રુઆરી મહિનામાં

ગોળ ગધેડાનો મેળો , જેસવાડા ( જિ . દાહોદ )

ગોયગૌહરીનો મેળો , ગરબાડા ( જિ . દાહોદ ) , કારતક સુદ એકમ

 આમલી અગિયારસનો મેળો ( જિ . દાહોદ)


READ 

 ુજરાતનાં લોકનૃત્યો : CLICK HERE


Download PDF click here



પ્ર્શ્નોતરી
 
..........................................................................................................

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ