header

બ્રાહ્મણનું સ્વપ્ન (The dream of a Brahmin)

 

( ૩ ) બ્રાહ્મણનું સ્વપ્ન




 એક બ્રાહ્મણ અને એક દરબાર મિત્ર હતા . બ્રાહ્મણ બિચારો ગરીબ અને ભોળો હતો . જયારે દરબાર ઘણો લુચ્ચો હતો . એક દિવસ બ્રાહ્મણને રાતે નીદ્રામાં સપનું આવ્યું . સપનામાં એણે પોતાના મિત્ર પોસેથી સો રૂપિયા ઉછીના લીધા .

સવારે જયારે આંખ ખુલી તો સ્વપ્નનું સારું કે ખરાબ ફળ જાણવાની એને ઇચ્છા થઇ તો એણે પોતાના બધા મિત્રોને સ્વપ્નાની વાત કરી .

ફેલાતી ફેલાતી આ વાત દરબારના કાને આવી કે સ્વપ્નમાં બ્રાહ્મણે એની પાસેથી સો રૂપિયા લીધા છે . દરબાર તો ઘણો સ્વાર્થી અને લાલચું હતો .

 એણે વિચાર્યું કે ગમે તેમ કરીને બ્રાહ્મણ પાસેથી સો રૂપિયા પડાવવા . આવો લાગ ફરી નહીં મળે .

 એ તો પહોંચી ગયો ભલા - ભોળા બ્રાહ્મણ પાસે અને કહેવા લાગ્યો ‘ તેં મારી પાસેથી જે સો રૂપિયા ઉછીના લીધા છે એની મારે આજે જરૂર પડી છે , માટે મને સો રૂપિયા આપી દે . ’

ગરીબ બ્રાહ્મણે પહેલા તો વિચાર્યુ કે મિત્ર મશ્કરી કરી રહ્યો છે પણ દરબાર તો બરાડા પાડવા લાગ્યો .

મારા મારી કરવા લાગ્યો . પૈસા ન મળે તો મારીને હાડકા ભાંગી નાખવાની ધમકી આપવા લાગ્યો ત્યારે બ્રાહ્મણ ગભરાયો . એની જીભ તાળવે ચોંટી ગઈ . '

  બિચારો બ્રાહ્મણ આખો દિવસ ઘેર ઘેર ચપટી લોટ માગતો ત્યારે માંડ પેટ ભરાતું . ઘરમાં એક પૈસોય ન હતો . સો રૂપિયા લાવવા કયાંથી ?

વળી દરબાર માથા ભારે હતો . એટલે ભયના કારણે એ સામો જવાબ પણ આપી શકતો ન હતો . દરબારને ખાત્રી થઈ ગઈ કે બ્રાહ્મણ ડરી ગયો છે .

ડરીને પૈસા જરૂર આપી દેશે . પણ બ્રાહ્મણ પાસે હોય તો આપે ને ... ! દરબાર તો કાલે આવીશ , પૈસા તૈયાર રાખજે . એમ કહીને ચાલતો થયો .

જતા જતા કહી ગયો કે હું તારી પાસેથી પૈસા જરૂર વસુલ કરીશ . સાક્ષી તરીકે બધા મિત્રો અને પડોશીઓને હાજર કરીશ . જેમની સામે તે રોકડા સો રૂપિયા લીધા છે .

બ્રાહ્મણના તો મોતિયા મરી ગયા પણ બિચારો શું કરે ? ભગવાન પર ભરોંસો રાખીને એ તો માળા ફેરવવા લાગ્યો . બીજા દિવસે દરબારે તો બ્રાહ્મણ ઉછીના લીધેલા પૈસા પાછા નથી આપતો એવો આરોપ મૂકી દાવો કર્યો .

બન્ને ન્યાયાધીશ પાસે ગયા . ન્યાયાધીશે ધ્યાનથી બન્નેની વાત સાંભળી પણ કોઇ ફેંસલો ન કરી શક્યા . કારણકે બ્રાહ્મણ જાતે સ્વીકાર કરતો હતો કે સ્વપ્નમાં એણે સો રૂપિયા ઉછીના લીધા છે .

ખુબ વિચાર કરીને ન્યાયાધીશે આ મામલા બાદશાહ પાસે મોકલી દીધો . દરબાર હળાહળ દગાબાજી કરી રહ્યો છે એ જાણવા છતાં બાદશાહે આ મામલા પર ખુબ ધ્યાન આપ્યું પણ લાચાર થઇને બીરબલને બોલાવ્યો મામલાનો ઉકેલ લાવી શકાય એવી કોઇ યુક્તિ ન સુઝી .

એટલે કે બધી વાત કરી અને સાફ સાફ કહી દીધું કે આ દગાબાજ દરબાર ભોળા અને ગરીબ બ્રાહ્મણને ઠગી લેવા ઇચ્છે છે .

માટે આ કે મામલાનો એવો ન્યાય આપ કે દૂધ અને પાણી અલગ થઇ જાય . બીરબલે તો તરત જ એક વિશાળ અરીસો મંગાવ્યો અને સો રૂપિયા એવી હોશિયારીથી ગોઠવ્યા કે અરીસામાં રૂપિયાનું પ્રતિબિંબ દેખાય .

 પછી દરબારને કહ્યું “ તારા સો રૂપિયા લઈ લે . ' દરબાર તો એકદમ ચકિત થઇ જતા બોલ્યો કે એ રૂપિયા હું લઉં કઇ રીતે ? એ તો રૂપિયાની ફક્ત છાયા છે . મોકો મળતાં જ બીરબલ બોલી ઉઠયો- “ બ્રાહ્મણે પણ સ્વપ્નમાં તારી પાસેથી રૂપિયા લીધા હતા .

 એ પણ છાયા હતી . તો પછી તું અસલી રૂપિયા શાનો માગે છે ? ” દરબારની ગરદન ઝુકી ગઇ . કાંઇ જવાબ ન સુઝતા એ લાચાર થઇને ખાલી હાથે જવા તૈયાર થયો તો બીરબલ બોલ્યો “ તે ગરીબ બ્રાહ્મણને પરેશાન કર્યો છે .

એના કામમાં વિઘ્ન ઉભું કર્યું છે . માટે તારે સો રૂપિયા દંડના દેવા પડશે . જો તું દંડ નહીં ભરે તો તને સો ફટકાની સજા થશે . ’ . દરબારે સો ફટકા ખાવા કરતા દંડના સો રૂપિયા ભરી દીધા .

બીરબલે એ પૈસા ગરીબ બ્રાહ્મણને આપી દીધા તો બ્રાહ્મણ ખુશ થતો થતો ઘેર ગયો . જેણે જેણે બીરબલના આ ન્યાયની વાત સાંભળી એ બીરબલની બુદ્ધિની પ્રશંસા કરવા લાગ્યા .

બાદશાહ તો બીરબલની બુદ્ધિ પર આફ્રિન જ થઇ ગયો .


બીજું શું કઢી વાર્તા




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ