૧. ઇનામનો ભાગીદાર
આ એ સમયની વાત છે , જ્યારે બીરબલ અકબર બાદશાહના
દરબારમાં નહોતો રહેતો . ત્યારે બીરબલ એક ગામડામાં રહેતો હતો .
અને રોજ રોજ વાતો સાંભળતો કે અકબર બાદશાહ તો ઘણા
ઉદાર છે . એનો દરબાર હંમેશા પંડિત , કવિઓ અને કલાકાર થી ઉભરાતો રહે છે .
વળી દૂર દૂર થી ઘણા
વિદ્વાનો બાદશાહના દરબાર માં આવે છે અને બાદશાહને ખુશ કરીને ઇનામ મેળવે છે . આવી
વાતો સાંભળીને એકવાર બીરબલને વિચાર આવ્યો કે લાવ ને હું પણ એકવાર બાદશાહના
દરબારમાં જઇને નસીબ અજમાવું .
કદાચ બાદશાહ મારી બુદ્ધિ
અને હાજર જવાબીથી ખુશ થઇ જાય તો આખી જીંદગી નું દાળદર ફીટી જાય . આમ વિચારીને
બીરબલે તો દિલ્હીનો રસ્તો પકડયો અને આવ્યો દિલ્હી .
બાદશાહનો ભવ્ય મહેલ જોઇને
એની આંખો અંજાઇ ગઇ . દરવાજા પાસે એક મુછોવાળો દરવાન ઉઘાડી તલવારે પહેરો ભરે છે , એ
દરવાને બીરબલને જોતાં જ પૂછ્યું - ‘ અલ્યા ગમાર , આમ પૂછયા વગર ક્યાં દોડયો જાય છે
? શું છે તારુ નામ ? કયું છે તારું ગામ ? શા માટે આવ્યો છે ? ’
બીરબલે તો નમ્ર અવાજે પોતાના નામ - ઠામ જણાવ્યા
પછી વિંનતી કરતા કહ્યું કે બાદશાહને મળવા આવ્યો છું . અંદર જવા દો તો તમારી મોટી
મહેરબાની . પણ આ તો બાદશાહનો દરવાન .
એમ તે કાંઇ અંદર જવા દે
ખરો ? તરત મૂછે વળ દેતા બોલ્યો - ‘ મારું નામ અલ્લાબક્ષ દરવાન છે .
મને ખુશ કર્યા વગર હું કોઇને અંદર જવા દેતો નથી
. પહેલા મને જરા રાજી કર , પછી જ હું તને અંદર જવા દઉં ... '
બીરબલ વિચારમાં પડી ગયો . એ સમજી ગયો કે આ
લાંચિયો દરવાન લાંચ લીધા વગર અંદર જવા દેશે નહીં . અને જો અંદર ન જવાય તો ધરમ
ધક્કો થાય .
એણે તો દરવાન ને ખુબ
વિંનતી કરી . આજીજી કરી અને કહ્યું કે હું ઘણો ગરીબ માણસ છું . ઘણે દૂરથી પગે
ચાલીને આવ્યો છું . હાલ તો મારી પાસે કાંઇ છે નહીં . ’ પણ દરવાન જરાય ન પીગળ્યો .
એણે તો એક જ વાત પકડી
રાખી કે પહેલા મને ખુશ કર પછી અંદર જવા દઉં . ત્યારે બીરબલ બોલ્યો - ‘ જો ભાઇ !
હાલ તો હું સાવ ફકકડ છું .
એટલે તને કાંઇ આપી શકું
તેમ નથી પણ હું અહીં બાદશાહને ખુશ કરવા આવ્યો છું . જો બાદશાહ મારા પર ખુશ થશે અને
મને કાંઇ ઇનામ આપશે તો હું તને વચન આપું છું કે અર્ધું ઇનામ તને આપીશ ...
દરવાને વિચાર કર્યો કે આમ
પણ આ લુખ્ખા પાસે થી કાંઇ મળે તેમ નથી માટે તેને અંદર જવા દઉ . કદાચ બાદશાહ ખુશ
થઇને મોટું ઇનામ આપે તો મારું પણ ભાગ્ય ફરી જાય .
એટલે એણે તો બીરબલને અંદર જવા દીધો પણ સખ્ત
અવાજે કહ્યું - ‘ અંદર તો જવા દઉં છું પણ જો જે વળતી વખતે તે વચન ન પાળ્યું તો
તારી ખેર નથી ...
બીરબલે તો સોગંદ ખાધા અને અંદર ગયો . પહેલી જ
વખત દરબારમાં પગ મુકતો હતો તો પણ જરાય ગભરાયા વગર એણે પોતાની બુદ્ધિ ચાતુરીની એવી
એવી વાતો કરી કે આખો દરબાર ખુશ થઇ ગયો .
અકબર તો એની બુદ્ધિ પર આફ્રિન થઇ ગયો અને કહ્યું
- ‘ મન માં આવે એ માગી લે ’ .
ત્યારે બીરબલ ઘણી જ
નમ્રતાથી બોલ્યો - ‘ ગરીબ પરવર ! તમે ખુશ થયા એજ મારે મન મારું ઇનામ છે . બીજું
મારે કાંઇ નથી જોઇતું ... ’
પણ અકબર તો બેહદ ખુશ થઇ ગયો હતો . આ યુવાન મોંઢે
માગે એ આપવાની એને તીવ્ર ઇચ્છા હતી . તેથી એ બોલ્યો - ‘ મારા દરબારમાંથી આમ ખાલી
હાથે ન જવાય .
તારી ઇચ્છા હોય એ માગ ' બાદશાહે ખુબ આગ્રહ કર્યો
ત્યારે બીરબલ હળવેથી બોલ્યો ‘ નેક નામદાર , જો તમે ખરેખર મારા પર ખુશ થયા હો તો
મને સો ફટકા મારવાનો હુકમ કરો ... ’
બીરબલની આવી વિચિત્ર
માગણી સાંભળીને આખો દરબાર આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયો . ઘણાને તો એમ જ લાગ્યું કે આ
બુદ્ધિશાળી દેખાતા યુવાનનું ખશી ગયું છે .
બીજું કોઇ હોય તો ધન -
દોલત માગે ? અકબર બાદશાહ પણ બીરબલને સમજાવવા લાગ્યો - ‘ યુવાન આવું તે કાંઇ મગાતુ
હશે ? ફટકા તો અપરાધીને મળે ... બીજું કાંઇક માગ ... ’
ત્યારે બીરબલ નમ્રતાથી
બોલ્યો - ‘ આલમપનાહ ! મેં તો પહેલા જ ના પાડી કે મારે કાંઇ ઇનામ નથી જોઇતું પણ તમે
અતિ આગ્રહ કર્યો એટલે મારી જે ઇચ્છા હતી એ મેં માગ્યું .
આપવું હોય તો આપો , ન આપો
તો તમારી મરજી , ’ સૈનિકે તો બાદશાહની આજ્ઞા મુજબ હળવે હળવે ફટકા મારવાનું શરું
કર્યું જ્યાં પચાસ ફટકા થયા ત્યાં બીરબલે સૈનિકને અટકાવ્યો –
‘ હવે બસ ... મારા એક
ભાગીદારને મેં વચન આપ્યું છે કે મને જે ઇનામ મળશે એમાંથી અર્ધું ઇનામ હું એને આપીશ
.
આ સાંભળીને બાદશાહને
આશ્ચર્યનો વધુ એક આંચકો લાગ્યો . એણે માન્યું કે આ એક તો ગાંડો છે આના જેવો બીજો
પણ પાગલ હોવો જોઇએ .
એટલે બાદશાહ બોલ્યા ‘ પણ
તારો ભાગીદાર છે ક્યાં ? અહીં તો ક્યાંય દેખાતો નથી ... ’ ત્યારે બીરબલે કહ્યું -
‘ એ મહેલના દરવાજે જ ઉભો છે .
લો હું જાતે જ બોલાવી
લાવું ... ’ આમ કહીને બીરબલ તો દરવાનને બોલાવી લાવ્યો . એને બાદશાહ સામે ઉભો
રાખીને કહ્યું - ‘ નામદાર , આ મારો ભાગીદાર છે .
આણે મારી પાસે વચન લીધું છે કે મને જે ઇનામ મળે
તેનો અર્ધો ભાગ મારે તેને આપવો . જો હું મારું વચન ન પાળું તો હું બેઇમાન ગણાઉ ...
'
- અકબર બાદશાહ તરત સમજી
ગયા કે દરવાને લાંચ માગી હશે અને બીરબલે દ ૨ વાનને પાઠ ભણાવવા માટે જ આ વિચિત્ર ઇનામ
માગ્યું છે .
બાદશાહે તરત સૈનિકને હુકમ કર્યો કે લાંચિયા
દરવાનને એટલા જોરથી ફટકા મારો કે એની ચામડી ઉતરડી જાય .
સૈનિકે લાંચિયા દરવાનને પચાસ ફટકા મારીને અધમુઓ
કરી નાખ્યો પછી બાદશાહે એને કાઢી મુક્યો અને બીરબલની આ ચતુરાઇ પર ખુશ થઇને એને
જમીન - જાગીર આપી પોતાના દરબારમાં જ રાખી લીધો .
આગળ જતા આ બીરબલે પોતાની ચતુરાઇ થી બાદશાહના નવ
રત્નમાં સ્થાન મેળવ્યું .
0 ટિપ્પણીઓ
Please do not share links in comment