ગુજરાતના જિલ્લાઓની સફરે
અમરેલી જિલ્લો
1. અમરેલી : જિલ્લાનું મુખ્ય મથક છે . ઈ.સ. પૂર્વે 3000 ના પુરાતત્ત્વ અવશેષો અહીંથી મળ્યા છે . અહીં નાગનાથ મંદિર , શ્રીનાથજીની હવેલી , ગિરધરલાલ મહેતા સંગ્રહાલય જોવાલાયક છે . અહીં તેલનીમિલો આવેલી છે .
2. લાઠી : કવિ કલાપીની કર્મભૂમિ અને જન્મભૂમિ છે .
૩. સાવરકુંડલા : વજન માપવાનાકાંટાઓની બનાવટ માટે પ્રખ્યાત છે .
3. પીપાવાવ : ગુજરાતનું સૌથી ઝડપથી વિકસતું બંદર છે .
અરાવલ્લી જિલ્લો
1.મોડાસા જિલ્લાનું મુખ્ય મથક છે . રાજા બતડનું ‘ મહુડાસ ’ એટલે આજનું મોડાસા . વિશાળ કૉલેજ સંકુલ , ઔષધિ ઉદ્યાન , રમતગમતનાંમેદાનો , ખુલ્લા રંગમંચો વગેરે આવેલાં છે .
2.શામળાજી : શામળાજીનેડુંગરાઓ , અરણ્ય અને મેશ્વો નદીનું સૌંદર્ય સાંપડ્યું છે . શામળાજીના વિશ્વવિખ્યાત મંદિરમાં શ્રીકૃષ્ણ – વાસુદેવની ગદા ધારણ કરેલી શ્યામસ્વરૂપની મૂર્તિ બિરાજમાન છે . આથી આ સ્થળ ‘ ગદાધરપુરી ’ તરીકે પણ ઓળખાય છે .
મંદિરનાબાંધકામમાં પ્રાચીન ચૌલુક્ય શૈલી જળવાયેલી છે . શિલ્પસૌંદર્યની દૃષ્ટિએ આ સ્થળ અસાધારણ અવલોકનીય છે . અહીં કાર્તિકી પૂર્ણિમાએ મેળો ભરાય છે , જે મુખ્યત્વે આદિવાસીઓનો મેળો છે .
૩. ભિલોડા : કીર્તિસ્તંભસાથેનુંદિગંબરજૈનોનુંજૈનમંદિરમહત્ત્વનું યાત્રાધામ છે.
Download PDF click here
..................................................
0 ટિપ્પણીઓ
Please do not share links in comment