header

ગુજરાતના શબ્દ શિલ્પીઓ 1 (Word Sculptors of Gujarat 1)

 ગુજરતના શબ્દ શિલ્પીઓ




( 1 ) કલિકાલસર્વજ્ઞ
હેમચંદ્રાચાર્ય ( 1089-1173 ) , 

જન્મસ્થળઃ ધંધુકા

પ્રખર જેનાચાર્ય દેવચંદ્રસૂરિએ 5 વર્ષના ચાંગદેવને દીક્ષા આપી . તેમણે જૈન ધર્મ તેમજ અન્ય ધર્મોના ગ્રંથોનું ઊંડું અધ્યયન કર્યું . તેમની અનન્ય પ્રતિભા જોઈ માત્ર 21 વર્ષની વયે ગુરુએ પોતાની કથા તેમને ઓઢાડી . ત્યારથી તેઓ ' આચાર્ય હેમચંદ્ર ' બન્યા .

 કૃતિઓ : સિદ્ધહેમશબ્દાનુશાસન ( વ્યાકરણ ) , અભિધાન ચિંતામણિ , કાવ્યાનુશાસન , છંદાનુશાસન , પ્રમાણમીમાંસા , દયાશ્રય કાવ્ય , સંસ્કૃત ભાષાકોશ , દેશીનામમાળા , યોગશાસ્ત્ર , વીતરાગ સ્તોત્ર વગેરે .

( 2 ) ગુજરાતી ભાષાના આદિકવિ 
નરસિંહ મહેતા ( 1414-1480 ) , 

જન્મસ્થળઃ તળાજા

વડનગરા નાગર કુટુંબમાં જન્મેલા નરસિંહને બાળપણથી જ કૃષ્ણભક્તિની લગની લાગી હતી . ભાભીનું મહેણું નરસિંહ માટે શ્રીહરિનો સાક્ષાત્કાર કરવાનું નિમિત્ત બન્યું . ગોપનાથમાં સાત દિવસની અખંડ તપસ્યાથી તેમના હૃદયમાં ભક્તિ અને જ્ઞાનનો ઉદય થયો . તેમનાં પદો એક ભક્ત હૃદયની વ્યાકુળતા , આનંદ અને તલસાટની સહજ રીતે પ્રસ્ફુટિત થયેલી વાણી છે .

 કૃતિઓ : સુદામાચરિત્ર , દાણલીલા , ચાતુરીઓ ( ભક્તિ રચનાઓ ) , શામળશાનો વિવાહ , હૂંડી , કુંવરબાઈનું મામેરું વગેરે .

( ૩ ) જનમ જનમની દાસી 
મીરાં ( 1499-1547 ) , 

જન્મસ્થળ : મેડતા ( મારવાડ )

મેડતામાં દાદા રાવ દુદાજી પાસે રહીને મીરાંએ ભક્તિરસ પીધો , રમતા આપેલી શામળિયાની મૂર્તિ એમની પ્રેમભક્તિનું કેન્દ્ર બની . ચિત્તોડગઢના રાણા સાંગાના જ્યેષ્ઠ પુત્ર ભોજરાજ સાથે એમનાં લગ્ન થયાં પણ કૃષ્ણભક્તિ ન છૂટી . ભોજરાજનું આકસ્મિક મૃત્યુ થતાં મીરાંએ ચિત્તોડગઢ છોડ્યું . તેઓ વૃંદાવન થઈ દ્વારકા ગયાં અને ત્યાં શ્રીકૃષ્ણમાં લીન થઈ ગયું .

 કૃતિઓઃ રામ રમકડું જડિયું રે , હાં રે કોઈ માધવ લો , લે ને તારી લાકડી , પગ ખૂંપરું બાંધ મીરાં નાચી રૈ , વૃંદાવન કી કુંજગલન મેં વગેરે .

( 4 ) જ્ઞાનનો વડલો
અખો ( 1591-1656 ) , 

જન્મસ્થળ : જેતલપુર

અખો અક્ષયદાસ - ધંધે સોની , ઓછું ભણેલી પણ બુદ્ધિશાળી અને જ્ઞાનની તીવ્ર ભૂખવાળો . પહેલેથી જ મન સંસારથી વિરક્ત . આ વેદાંતમર્મજ્ઞ કવિએ કઠિન વેદાંતને સરળ અને સ્પષ્ટ ભાષામાં સહજરૂપે વ્યક્ત કર્યું . વેધક વ્યંગ્ય અને સચોટ મર્માળી અખાની વાણી ક્યારેક તીરની જેમ સોંસરવી ઊતરી જાય તેવી છે .

: કૃતિઓ પંચીકરણ , ગુરુશિષ્ય સંવાદ , અનુભવબિંદુ , અખેગીતા , કૈવલ્યગીતા , બાર મહિના , સાખીઓ , ચિત્તવિચારસંવાદ , કૃષ્ણઉદ્ધવસંવાદ વગેરે .

( 5 ) મહાકવિ
 પ્રેમાનંદ ( 1636-1734 ) , 

જન્મસ્થળ : વડોદરા

 ગુજરાતી સમાજ અને સ્વભાવનું આબેહૂબ અને આકર્ષક આલેખન કરનાર પ્રેમાનંદની કવિતામાં સૌથી વધુ ગુજરાતીપણું જોવા મળે છે . પુરાણો સમાં પવિત્ર ગણાતાં , વ્રત - તહેવાર અને વિશેષ અવસરે ગવાતાં તેમનાં આખ્યાનોમાં શ્રેય અને પ્રેયનો અપૂર્વ સંગમ જોવા મળે છે .

 કૃતિઓ નળાખ્યાન , સુદામાચરિત્ર , મામેરું , રણયજ્ઞ , અભિમન્યુ આખ્યાન , સુધન્વા આખ્યાન , સુભદ્રાહરણ , ઓખાહરણ , દશમસ્કંધ , વિનોદ વણજારો વગેરે

( 6 ) પ્રથમ વાર્તાકાર
શામળ ( 1700-1770 ) ,

 જન્મસ્થળઃ અમદાવાદ

શામળ એટલે મધ્યકાળનો ઉત્તમ પદ્યવાર્તાકાર . તેની રસિક , કુતૂહલપ્રેરક પદ્યવાર્તાઓએ જીવનનાં અનેક ચિત્રો આલેખ્યાં છે અને સમાજનું મનોરંજન કર્યું છે .

 કૃતિઓ : પદ્માવતી , ચંદ્રચંદ્રાવતી , નંદબત્રીસી , મદનમોહના , સિહાસનબત્રીસી , સૂડાબહોતેરી , બરાસકસ્તૂરી , અંગદવિષ્ટિ , શિવપુરાણ , દ્રૌપદી વસ્ત્રાહરણ , વૈતાલપચીસી , રાવણમંદોદરી સંવાદ વગેરે .

 ( 7 ) ભક્તકવિ :
દયારામ ( 1775-1853 ) , 

જન્મસ્થળઃ ડભોઈ

દયારામ મસ્ત અને રંગીન સ્વભાવના કવિ હતા . તે એમની ગરબીઓથી ઘેર ઘેર જાણીતા છે . તેમણે ગરબીઓમાં શૃંગારરસ દ્વારા સ્ત્રીહૃદયના સહજ ભાવોને માધુર્ય છલકતી વાણીમાં ઉતાર્યા છે .

: કૃતિઓ રસિકવલ્લભ , ભક્તિપોષણ , ભક્તિવેલ , રુમિણી વેવાહ , સત્યભામા વિવાહ , અજામિલ આખ્યાન , દાણચાતુરી , મરસગીતા , શ્રીકૃષ્ણનામમાહાત્મ્ય , શોભા સલૂણા શ્યામની , શ્યામ રંગ  સમીપે ન જાવું , ઋતુવર્ણન , કૃષ્ણલીલા વગેરે .

( 8 ) લોકહિતીચંતક
કવિ દલપતરામ ( 1820-1898 ) , 

જન્મસ્થળ : વઢવાણ

 નાનપણથી જ પદ્યરચના કરવાનો નાદ ધરાવતા દલપતરામને સદ્ભાગ્યે સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓનો સત્સંગ થયો અને તેમને ગુજરાતીમાં લખવાની પ્રેરણા મળી . ફાર્બસસાહેબ સાથેની મૈત્રી એ તેમનું બીજું સદ્ભાગ્ય . દલપતરામની બોધલક્ષી પરંતુ ચાતુરીપૂર્ણ રસિક અને નર્મયુક્ત મળી રચનાઓએ લોકરંજન અને લોકશિક્ષણનું કાર્ય કર્યું .

 કૃતિઓ : દલપતકાવ્ય : ભાગ 1 અને 2 , લક્ષ્મી , મિથ્યાભિમાન , દલપતપિંગળ , કાવ્યદોહન , ભૂતિનિબંધ , જ્ઞાતિનિબંધ , બાલવિવાહ નિબંધ , દૈવજ્ઞદર્પણ , શામળ સતસઈ , કથન સપ્તશતી , ફાર્બસવિરહ , તાર્કિક બોધ વગેરે .

( 9 ) ગુજરાતી ભાષાસાહિત્યનો પરદેશી પ્રેમી
 અલેક્ઝેન્ડર ફાર્બસ ( 1821-1865 ) , 

જન્મસ્થળઃ લંડન

ફાર્બસસાહેબે ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ , પુસ્તકાલયો , સમાચારપત્રો , કન્યાશાળાઓ તેમજ ઇતિહાસ - સંશોધનની પ્રવૃત્તિ કરી ગુજરાતી પ્રજામાં નવજાગૃતિ આણી . ફાર્બસસાહેબે પોતાના વહીવટ દરમિયાન પોતે ગુજરાતના જે પ્રદેશમાં રહ્યા ત્યાં શિક્ષણ અને સાહિત્યવિષયક અનેક લોકોપયોગી કાર્યો કર્યાં . આ કારણે તેઓ ગુજરાતની પ્રજામાં લોકપ્રિય થયા . સાદરામાં લોકોએ તેમના નામે ‘ ફાર્બસ બજાર ’ અને ‘ ફાર્બસ સ્કૂલ’ની સ્થાપના કરી હતી .

 કૃતિઓ   રાસમાળા : ભાગ 1 અને 2

( 10 ) યુગવિધાયક સર્જક
 નર્મદ ( 1833-1886 ) , 

જન્મસ્થળઃ સુરત

અર્વાચીન સાહિત્યયુગના આ પ્રતિનિધિ પુરુષનો જીવનમંત્ર એટલે પ્રેમ અને શૌર્ય , એમનાં કાવ્યોમાં લય , લાલિત્ય કે ચારુતા કરતાં આંતરિક જોમ અને જુસ્સો વધુ દેખાય છે . નર્મદ

 કૃતિઓ : નર્મકવિતા , નર્મગદ્ય , પિંગળપ્રવેશ , અલંકારપ્રવેશ , નર્મવ્યાકરણ , રસપ્રવેશ , નર્મકોશ , નર્મકથાકોશ , મારી હકીક્ત , મેવાડની હકીકત , રાજ્યરંગ , ઉત્તર નર્મદચરિત્ર , ધર્મવિચાર , કૃષ્ણકુમારી , શ્રી દ્રૌપદી દર્શન , સીતાહરણ , શ્રી સારશાકુન્તલ , કવિ અને કવિતા , કવિચરિત્ર , સજીવારોપણ વગેરે .

 ( 11 ) પંડિતયુગના પુરોધા
ગોવર્ધનરામ ત્રિપાઠી ( 1855-1907 ) ,

 જન્મસ્થળ : નડિયાદ

અનેક પ્રતિકૂળતાઓ વચ્ચે તેમણે એલએલ.બી. થઈ વકીલાત શરૂ કરી . ચાળીસમા વર્ષે ધીકતી વકીલાત છોડી સાહિત્યોપાસનામાં ઝંપલાવ્યું . તેમનાં સઘળાં સર્જનોમાં તેમની અદ્વિતીય વિદ્વતા અને ઉત્કૃષ્ટ પ્રતિભાનાં દર્શન થાય છે . તેમનું સબળ યશદાયી અને સર્વશ્રેષ્ઠ સર્જન ' સરસ્વતીચંદ્ર ' છે .

કૃતિઓ : સરસ્વતીચંદ્ર : ભાગ 1 થી 4 , સ્નેહમુદ્રા , સાક્ષરજીવન , કવિ દયારામનો અક્ષરદેહ , સ્ક્રેપ બુક , લીલાવતી જીવનકલા વગેરે .

[ 12 ] બ્રહ્મનિષ્ઠ , અભેદ માર્ગના પ્રવાસી
મણિલાલ નભુભાઈ દ્વિવેદી ( 1858–1898 ) , 

જન્મસ્થળ : નડિયાદ

માત્ર ચાળીસ વર્ષની યુવાન વયે અવસાન પામનાર પ્રકાંડ પંડિત , વેદાંતી , સંસ્કૃત અને અંગ્રેજી ભાષાસાહિત્યના વિદ્વાન મશિલાલને આજે પણ ગુજરાત પ્રખર વિચારક તરીકે સન્માન આપે છે .

 કૃતિઓ : કાન્તા , નૃસિંહાવતાર , ગુલાબસિંહ , સુદર્શન , ગઘાવલી , પ્રાણવિનિમય , અમર આશા , નારી પ્રતિષ્ઠા , ગુજરાતના બ્રાહ્મણો , સિદ્ધાંતસાર , માલતીમાધવ , ઉત્તમરામચરિત ( રૂપાંતર ) , આત્મ નિમજ્જન , પ્રેમજીવન , શિક્ષાશતક વગેરે .

( 13 ) સાહિત્ય દિવાકર
નરસિંહરાવ દિવેટિયા ( 1859–1937 ) , 

જન્મસ્થળ : અમદાવાદ

નરસિંહરાવ સાહિત્યક્ષેત્રે અર્વાચીન યુગના અગ્રેસર હતા . કવિતાનું ઘડતર કરી , ગદ્યશૈલી વિકસાવી , સામાજિક અને ધાર્મિકક્ષેત્રે વિકાસને અવરોધતી પ્રણાલિકાઓનું ખંડન કરી તેમણે પોતાના જીવનકાળ દરમિયાન વિધાયક ફાળો આપ્યો હતો .

 કૃતિઓ : કુસુમમાળા , પ્રેમળજ્યોતિ , હૃદયવીશા , નૂપુરઝંકાર , સ્મરણસંહિતા , મનોમુકુર ભાગ 1 થી 4 , સ્મરણમુકુર , નરસિંહરાવની રોજનીશી , ગુજરાતી લેંગ્વેજ ઍન્ડ લિટરેચર ભાગ 1 અને 2 , વિવર્તલીલા , તરંગલીલા વગેરે .

( 14 ) મધુર કોમલ ઊર્મિકાવ્યના સર્જક
મણિશંકર રત્નજી ભટ્ટ ‘ કાન્ત ’ ( 1867-1923 ) ,

 જન્મસ્થળઃ ચાવડ

ઉત્તમ ખંડકાવ્યો અને ચિરંજીવ ગુણોવાળાં ઊર્મિકાવ્યોના સમર્થ સર્જક કવિ ‘ કાન્ત’નું ગુજરાતી કાવ્યસાહિત્યના ઇતિહાસમાં વિશિષ્ટ સ્થાન છે . તેમની શૈલી પ્રોઢ , શિષ્ટ , મધુર અને સંસ્કારની દીપ્તિવાળી છે . તેમનો એકમાત્ર કાવ્યસંગ્રહ ' પૂર્વાલાપ ' તેમના અવસાનના દિવસે જ મગટ થયો હતો .

કૃતિઓ : પૂર્વાલાપ , સાગર અને શશી , ઉદ્ગાર , અતિજ્ઞાન , વસંતવિજય , ચક્રવાક મિથુન , રોમન સ્વરાજ્ય , ગુરુ ગોવિંદસિંહ , દુ : ખી સંસાર , શિક્ષણનો ઇતિહાસ , પ્રેસિડન્ટ લિનનું ચરિત્ર , સંવાદમાલા , સિદ્ધાંતસારનું અવલોકન , હીરામાણેકની મોટી એક ખાણ , કુમાર અને ગૌરી વગેરે ,

( 15 ) અવિસ્મરણીય ભદ્રંભદ્ર'ના સર્જક
રમણભાઈ નીલકંઠ ( 1868–1928 ) , 

જન્મસ્થળ : અમદાવાદ

ગુજરાતના પ્રથમ સમર્થ હાસ્યકાર રમણભાઈની ઊંડી અવલોકન શક્તિએ માનવસ્વભાવનાં અનેક પાસા જોયાં . તેમનામાં રહેલી સુષુપ્ત વિનોદવૃત્તિ જાગી ઊઠી અને તેમાં સંસારસુધારાની સંનિષ્ઠ ભાવના ભળી . ગઘકાર , હાસ્યકાર , નાટ્યકાર , કવિ અને વિવેચક તરીકે રમણભાઈ ગુજરાતના સાહિત્યકારોમાં અગ્રગણ્ય છે . 

કૃતિઓ : ભદ્રંભદ્ર , શોધમાં , રાઈનો પર્વત , હાસ્યમંદિર , કવિતા અને સાહિત્ય : ભાગ 1 થી 4 , ધર્મ અને સમાજ : ભાગ 1 અને 2 વગેરે .


મહત્વની ગુજરાતી ફિલ્મો




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ