પ્રાચીન ગુજરાત
1. પ્રાચીન ગુજરાત પ્રાગૈતિહાસિક યુગઃ
પુરાતત્ત્વવિદોનાં સંશોધન પરથી અનુમાન કરી શકાય કે ભારતના કેટલાક પ્રદેશોની માફક ગુજરાતના કેટલાક પ્રદેશોનું માનવજીવન પણ પ્રાચીન પાષાણ યુગ , મધ્ય પાષાણ યુગ ( નર્મદા ) , મેશ્વો , માઝમ , વિશ્વામિત્રી , સરસ્વતી , બનાસ , ભોગાવો , અને નૂતન પાષાણ યુગમાંથી પસાર થયું હશે .
સાબરમતી , મહી , દેવા ભાદર વગેરે નદીઓના પ્રદેશો તથા કોતરોમાંથી પ્રાગૈતિહાસિક કાળનો હો અને અવશેષો પ્રાપ્ત થયાં છે . ધાતુ યુગમાં ગુજરાતના પ્રદેશોમાં ખેતી સાથે ઉદ્યોગોનો અને ગામડાંની સાથે શહેરોનો વિકાસ કર્યો હતો .
સોમનાથ પાટણ , લોથલ , ભૃગુકચ્છ , સ્તંભતીર્થ , સોપારા વગેરે બંદરો મારફતે પરરાજ્યો સાથેનો વેપાર ચાલતો હતો . રંગપુર જિ . સુરેન્દ્રનગર ) , લોથલ ( જિ . અમદાવાદ ) , કોટ અને પેઢામલી ( જિ . મહેસાણા ) ,
લાખાબાવળ અને આમરા ( જિ . જામનગર ) , રોજડી ( જિ . રાજકોટ ) , ધોળાવીરા ( જિ . કચ્છ ) , સોમનાથ પાટણ જિ . ગીરસોમનાથ ) , ભરૂચ તથા સુરત જિલ્લાઓમાંથી મળેલા હડપ્પા અને મોહેં - જો - દડોની સંસ્કૃતિના અવશેષો આ હકીકતની સાક્ષીપુરે છે..
2.
મહાભારત યુગ :
કાળક્રમ પ્રમાણે નુતન પાષાણ યુગ તથા સંસ્કૃતિ યુગ પછી વિદક યુગ આવે ; પરંતુ વૈદિક સાહિત્યમાં ગુજરાત પ્રદેશનો કોઇ ઉલ્લેખ મળતો નથી , મહાભારત કાળમાં જુદાં જુદાં અનેક રાજ્યો લેવાનો પૌરાણિક સાહિત્યમાં ઉલ્લેખ છે . શિિતના પુત્ર આનતે ચરર તથા ગુજરાતના ઉત્તરના ભાગો પર રાજ્ય સ્થાપ્યું અને તે દેશ ‘ આનર્ત કહેવાયો .
જરાસંધ અને શિશુપાલના ત્રાસથી કંટાળીને શ્રીકૃષ્ણની આગેવાની હેઠળ યાદવો સૌરાષ્ટ્રમાં સ્થળાંતર કરી ગયા . આનર્તનો પુત્ર રૈવત યાદવો સામે પરાજિત થયો . શ્રીકૃષ્ણે કુશસ્થળી પાસે નવું નગર દ્વારાવતી ( હાલનું બેટ દ્વારકા ) વસાવીને ત્યાં પોતાની રાજધાની સ્થાપી . ઈ . સ . પૂર્વે 14 મી સદીમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં યાદવસત્તા અગ્રસ્થાને હતી . યાદવોના અસ્ત બાદ સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાં કયાં રાજકુળોની સત્તા સ્થપાઈ તે સંબંધે કોઈ પુરાવાઓ પ્રાપ્ત થયા નથી .
મૌર્ય યુગઃ
ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી શરૂ થાય છે . ઈ . સ . પૂર્વે 319 માં ગુજરાત અને સૌરાષ્ટ્રના પ્રદેશો મગધના રાજા ચંદ્રગુપ્તના આધિપત્ય નીચે આવ્યા હતા . ચંદ્રગુપ્તના સૌરાષ્ટ્રના સૂબા પુષ્યગુપ્તે ગિરિનગર ( જૂનાગઢ ) અને તેનીઆસપાસના પ્રદેશમાં ખેતીને ઉત્તેજન આપવા ' સુદર્શન ' નામે જળાશય બંધાવ્યું હતું , એવો ઉલ્લેખ અશોકના ગિરનાર પર્વત પાસેના શિલાલેખમાં છે . મૌર્ય યુગમાં ચંદ્રગુપ્ત , અશોક અને તેના પૌત્ર સંપ્રતિનું શાસન ગુજરાતમાં હતું , એવું જૈન અનુશ્રુતિ પરથી માલૂમ પડે છે .
અનુ - મૌર્ય યુગઃ
મૌર્ય શાસનના પતન બાદ ગુજરાતમાં કોઈ પ્રબળ શાસન ન હતું . ઈસુના જન્મ પછી ચાર સદી સુધી ક્ષત્રપોનું આધિપત્ય રહ્યું . ગિરનાર પાસેના શિલાલેખોના વિવરણ પ્રમાણે ક્ષત્રોમાં રુદ્રદામા શ્રેષ્ઠ રાજવી હતો . છેલ્લા ક્ષત્રપ રાજા રુદ્રસિંહ ત્રીજાને ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ પરાજય આપી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી ક્ષત્રપ સત્તાનો અંત આણ્યો .
ગુપ્ત યુગઃ
ઈ . સ . 400 ની આસપાસ ચંદ્રગુપ્ત બીજાએ સૌરાષ્ટ્ર , ગુજરાત તથા માળવા જીત્યા હોવાનું તેમના સિક્કાઓ તથા લેખો પરથી સિદ્ધ થાય છે . આ પ્રદેશોમાંથી ચંદ્રગુપ્ત બીજા , કુમારગુપ્ત તથા સ્કંદગુપ્તના સોનાના તથા ચાંદીના સિક્કાઓ મળ્યા છે . ઈ . સ . 455 માં સ્કંદગુપ્તના સૂબાએ અતિવૃષ્ટિના કારણે તૂટી ગયેલું સુદર્શન તળાવ ફરી બંધાવ્યું હતું . ગુપ્ત યુગ દરમિયાન વૈષ્ણવ ધર્મનો પ્રચાર થયો હતો .
મૈત્રક યુગઃ
ગુપ્ત સામ્રાજ્યની પડતી થતાં ગુપ્ત રાજાના સૂબા મૈત્રક વંશના ભટ્ટાર્કે ઈ . સ . 470 માં વલભીપુરમાં ગુજરાતની સ્વતંત્ર સત્તા સ્થાપી હતી . આ વંશનો કુળધર્મ શૈવ હતો . મૈત્રક વંશનો બીજો પ્રતાપી રાજા ગુસેન ( ઈ.સ .553 થી 569 ) હતો .
તેનાં દાનપત્રોની પ્રશસ્તિ પરથી જણાય છે કે ગુહસેન પ્રજાપ્રિય શાસક હતો . આ વંશનો શીલાદિત્ય પહેલો ( ઈ.સ .590 થી 615 ) ધર્માદિત્ય ' તરીકે ઓળખાયો . ધ્રુવસેન બીજા ( ઈ . સ . 627 થી 643 ) ના સમયમાં ચીની યાત્રાળુ યુએન સંગે ઈ.સ. 640 માં ગુજરાતની મુલાકાત લીધી હતી . ધ્રુવસેન બીજાના પુત્ર ધરસેન ચોથા ( ઈ . સ . 643 થી 650 ) એ ‘ મહારાજાધિરાજ ' અને ‘ ચક્રવતી'નાં બિરુદ ધારણ કર્યાં હતાં .
મૈત્રકોની સત્તા સમસ્ત સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાત પર પ્રવર્તતી હતી . વલભીપુરમાં અનેક બૌદ્ધ વિહારો હતા . વલભી વિદ્યાપીઠની ગણના નાલંદ વિદ્યાપીઠની હરોળમાં થતી હતી . ઈ.સ. 788 માં આરબ આક્રમણોએ મૈત્રક શાસનનો અંત આણ્યો . ઈ . સ . 788 થી 942 સુધી ગુજરાતમાં કોઈ સર્વોપરી સત્તાનું શાસન પ્રવર્તતું ન હતું . :
મૈત્રકોનાં સમકાલીન રાજ્યો સૌરાષ્ટ્રમાં ગારુલક વંશ ( પાટનગર : ઢાંક ) અને સૈન્ધવ વંશ ( પાટનગર : ધૂમલી ) ના રાજવીઓનું શાસન હતું . દક્ષિણ ગુજરાતમાં ટકો ( અપરાન્ત પ્રદેશ ) , કટચ્યુરીઓ ( ભૃગુકચ્છ ) , ગુર્જર નૃપતિઓ ( નાન્દીપુર ) , ચાહમાનો ( અંકલેશ્વર ) , સેન્દ્રો ( તાપી તટ ) અને ચાલુક્યો ( નવસારી ) નું શાસન હતું .
અનુ - મૈત્રક યુગ :
ઈ . સ . 746 થી 942 સુધી ઉત્તર ગુજરાતના પ્રદેશોમાં ચાવડા વંશનું શાસન હતું . તેમની રાજધાની પંચાસર ( રાધનપુર પાસેનું એક ગામ ) માં હતી . ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો પર લગભગ 200 વર્ષ સુધી ગુર્જરપ્રતિહારોનું શાસન હતું
. ભિલ્લમાલ ( આબુની વાયવ્યમાં આવેલું હાલનું ભીનમાલ ) તેમની રાજધાની હતી . આ જ સમયમાં દક્ષિણ ભારત અને દક્ષિણ ગુજરાતમાં વડોદરાથી વલસાડ સુધી રાષ્ટ્રકૂટનું ( ઈ . સ . 750 થી 972 ) સામ્રાજ્ય હતું . તેમની રાજધાની માન્યખેટ ( નાશિક ) માં હતી . આ સમયગાળામાં જ ઈરાનના જરથોસ્તીઓ પોતાના ધર્મને બચાવવા માટે વતન ત્યજી સંજાણમાં આવીને વસ્યા હતા ; તેઓ ' પારસીઓ ’ તરીકે જાણીતા થયા . .
સોલંકી યુગ
સોલંકી યુગ ગુજરાતનો સુવર્ણ યુગ ગણાય છે . ચૌલુક્ય ( સોલંકી ) કુળના મૂળરાજે ઈ.સ. 942 માં અહિલપુર પાટણના ચાવડા વંશની સત્તાનું ઉન્મૂલન કરી પોતાની રાજસત્તા સ્થાપી . મૂળરાજ સોલંકી ( ઈ.સ .942 થી 997 ) કચ્છ , સૌરાષ્ટ્ર , ઉત્તર ગુજરાત તથા ખેડા સુધીના પ્રદેશનો સાર્વભૌમ શાસક બન્યો
. હતો . મૂળરાજે સિદ્ધપુરમાં રુદ્રમહાલય બંધાવ્યો હતો . ભીમદેવ પહેલા ( ઈ.સ. 1022 થી 1064 ) ના સમયમાં સુલતાન મહમુદ ગઝનવીએ ઈ.સ. 1026 ની 7 મી જાન્યુઆરીએ સોમનાથ મંદિર લૂંટ્યું હતું . ત્યાં ભીમદેવે ઈ . સ . 1027 માં પથ્થરનું નવું મંદિર બંધાવ્યું . મોઢેરાનું વિખ્યાત સૂર્યમંદિર પણ ભીમદેવના શાસનકાળ દરમિયાન બંધાયું હતું . ભીમદેવે વિમલમંત્રીને આબુનો દંડનાયક નીમ્યો હતો .
તેણે ત્યાં આદિનાથનું આરસનું મંદિર બંધાવ્યું હતું . કર્ણદેવે ( ઈ . સ . 1094 થી 1143 ) નવસારી પ્રદેશ પર પોતાની આણ વરતાવી હતી . તેણે આશાપલ્લી જીતી કર્ણાવતીનગર વસાવ્યું હતું . સિદ્ધરાજ જયસિંહ ( ઈ.સ. 1094 થી 1143 ) સોલંકી વંશનો સૌથી વધુ પરાક્રમી , હિંમતવાન અને મુત્સદી માળવાના રાજા યશોવર્માને હરાવી ‘ અનિનામની રાજા હતો . સિદ્ધરાજે જૂનાગઢના રાજા રા'ખેંગારને હરાવ્યો હતો
અને માળવાના રાજા યશોવર્માને હરાવી ‘ અવંતિનાથ'નું બિરુદ ધારણ કર્યું હતું . તેનું સામ્રાજ્ય સૌરાષ્ટ્ર , કચ્છ તેમજ દક્ષિણમાં ખંભાત , ભરૂચ અને લાટનો પ્રદેશ તથા રાજસ્થાનના કેટલાક ભાગો સુધી વિસ્તરેલું હતું .
સિદ્ધરાજે પાટણમાં સહલિંગ તળાવ બંધાવ્યું હતું અને સિદ્ધપુરના રુદ્રમહાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો . તેણે હેમચંદ્રાચાર્યને ' સિદ્ધહેમ શબ્દાનુશાસન નામનો વ્યાકરણનો ગ્રંથ લખવાની પ્રેરણા આપી હતી .
ગુજરાતની અસ્મિતાની વૃદ્ધિ કરનાર કુમારપાળ ( ઈ.સ. 1143 થી 1173 ) લોકપ્રિય અને આદર્શ રાજા હતો . તેણે અજમેરના રાજા અર્ણોરાજ અને કોંણના રાજા મલ્લિકાર્જુનને પરાજય આપ્યો હતો . કુમારપાળ જૈન ધર્મ પ્રત્યે પ્રીતિ રાખતો હતો .
ભીમદેવ બીજાએ ( ઈ.સ .1178 થી 1242 ) લગભગ 63 વર્ષ રાજ્ય કર્યું . તે નિર્બળ રાજા હતો . તેના સમયમાં સોલંકી વંશનો અંત અને વાઘેલા વંશની શરૂઆત થઈ . ધોળકાના રાણા વીરધવલ અને મહામાત્ય વસ્તુપાલ તથા તેજપાલે સોલંકી રાજ્યના રક્ષણમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો . ઈ.સ. 1244 માં ત્રિભુવનપાળનું અવસાન થતાં સોલંકી વંશની સત્તા અસ્ત પામી .
વાઘેલા - સોલંકી યુગઃ
ઈ . સ . 1244 માં ધોળકાના મહામંડલેશ્વર વિસલદેવે ( ઈ . સ . 1244 થી 1262 ) પાટણની ગાદી મેળવી . તેણેમેવાડ અને કર્ણાટકના રાજાઓ સાથે યુદ્ધો કર્યાં હતાં . આ વંશનો કર્ણદેવ ( ઈ . સ . 1296 થી 1304 ) ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા હતો . કર્ણદેવનો મહામાત્ય માધવ મુસલમાનોને ગુજરાત પર ચઢાઈ કરવા બોલાવી લાવ્યો હતો . અલાઉદ્દીન ખલજીના હુકમથી ઉલુઘખાન અને નસરતખાને ગુજરાત પર ચડાઈ કરી અને અણહિલપુર મુસ્લિમ શાસકોના હાથમાં આવ્યું .
.........................................................................................
0 ટિપ્પણીઓ
Please do not share links in comment