header

ગુજરાતના જિલ્લાઓની સફરે (મહિસાગર, મહેસાણા)(A trip to the districts of Gujarat)

 

 મહીસાગર જિલ્લો



 ગુજરાતના જિલ્લાઓની સફરે

1.   લુણાવાડા : જિલ્લાનું મુખ્ય મથક છે . શહેરનું નામલુપ્તેશ્વરમહાદેવના મંદિર પરથી પડ્યું છે .

 પાંડવો વનવાસ દરમિયાન અહીંના મંદિરમાં રહ્યા હતા તેવી લોકમાન્યતા છે . ઉપરાંત ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ , જવાહર ગાર્ડન , કાલકા માતાની ટેકરી , ત્રિવેણી સંગમ જોવાલાયક સ્થળો છે

 

 2. રૈયાલી : બાલાસિનોરથી 10 કિમીના અંતરે આવેલા આ સ્થળેથીપ્રાગ ઐતિહાસિક સમયનાં મહાકાય પ્રાણીઓનાં અસ્થિ - અક્ષકો મળી આવ્યાં હતાં . સમગ્ર વિશ્વમાં ડાયનાસોરનાંઈંડાં પહેલી વાર આ જગ્યાએથી મળ્યાં હતાં .

 

૩. વીરપુર : જૂનું સોલંકી સમયનું સંસ્થાન હતું . અહીં શ્રી ગોકુળનાથજીનાં પગલાં અને પવિત્ર દરગાહે શરીફ છે .

 

4. બાલાસિનોર : બાબરી વંશનારાજાઓનું રજવાડું હતું . નવાબનો ગાર્ડન પૅલેસ જોવાલાયક છે .

 

 મહેસાણા જિલ્લો

 

1. મહેસાણા : જિલ્લાનું મુખ્ય મથક છે . અહીંની ' દૂધસાગર ડેરી ’ અને ‘ સીમંધર જૈન દેરાસર ’ પ્રખ્યાત છે . મહેસાણાની ભેંસો વખણાય છે . પશુદાણ માટે જાણીતું છે

 

2. તારંગા:બૌદ્ધધર્મીઓની દેવી તારાના નામ પરથી ઓળખાતા તારંગા ડુંગર પર કુમારપાળના સમયમાં બંધાયેલ અજિતનાથનું જેન મંદિર આવેલું છે . આ ઉપરાંત તારણ માતાનું મંદિર અને હનુમાનજીનું મંદિર છે .

 

૩. મોઢેરા:પુષ્પાવતી નદીના કિનારે આવેલા પ્રાચીન સૂર્યમંદિર માટે મોઢેરા જાણીતું છે . રાજા ભીમદેવના સમયમાં બંધાયેલું આ મંદિર મધ્ય યુગની શિલ્પકલાનો ઉત્તમ નમૂનો છે .

મોઢેરાનું સૂર્યમંદિર સભાગૃહ તથા ગર્ભગૃહની કોતરણીથી શોભાયમાન છે . મંદિરની સામે રામકુંડની ચારે બાજુ પગથિયાં છે . મોઢ જ્ઞાતિની કુળદેવીમોઢેશ્વરી માતાનું મંદિર પણ પ્રખ્યાત છે .

 

 4. વડનગર : વડનગરાનાગરોનું આ મૂળ વતન છે . અહીં નાગરોના કુળદેવતા હાટકેશ્વર મહાદેવનું પ્રાચીન વિશાળ મંદિર છે .

અહીં રાજ્ય સરકાર તરફથી તાના - રીરીની સમાધિ પાસે પ્રતિવર્ષ શાસ્ત્રીય સંગીતના ખ્યાતનામ કલાકારોનો મેળો ભરાય છે .

 વડનગરનાઅર્જુનબારી દરવાજામાં આવેલા શિલાલેખમાં વડનગરનીભવ્યતાનું વર્ણન છે . વડનગરની મધ્યમાં ‘ શર્મિષ્ઠા તળાવ ' અને ' શામળશાની ચોરી ' નામે ઓળખાતાં બે તોરણો છે .

   14 મીટર ઊંચો કીર્તિસ્તંભ તેમજ શહેરને ફરતો કોટ તથા દરવાજાનાખંડેરોવડનગરના ભવ્ય ભૂતકાળનો અણસાર આપે છે .

 

5. શંકુઝ વૉટર પાર્ક : મહેસાણાથી 10 કિમી દૂર અમીપુરા ગામ પાસે 75 એકર વિસ્તારમાં અનેક રાઇડ્ઝધરાવતો આ વૉટર પાર્ક આવેલો છે .

 

6. ઊંઝા : અહીં કડવા પાટીદાર સમાજનાકુળદેવી ઉમિયા માતાનું ભવ્ય મંદિર છે . જીરુ , વરિયાળી અને ઇસબગુલનું વિશ્વનું સૌથી મોટું બજાર છે .

 

7. વિસનગરઃ આ નગર વિશળદેવ વાઘેલાએ વસાવેલું છે . અહીં તાંબા - પિત્તળનાંવાસણોનો ઉદ્યોગ વિકસ્યો છે . વિસનગરાનાગરોનું આ મૂળ વતન છે .

 

 8. બહુચરાજી : અહીંનુંબહુચરાજી માતાનું મંદિર ગુજરાતનું પ્રાચીન દેવીતીર્થશક્તિપીઠ છે . 15 મીટર લાંબા અને 11 મીટર પહોળાપથ્થરના આ મંદિરમાં સુંદર કોતરણી છે . અહીં કિન્નરોની ગાદી છે .

 

9. ઐઠોર:ગણપતિનું સુપ્રસિદ્ધ મંદિર છે

 

10. આસજોલ : અહીં આવેલું કુન્ના માતાનું મંદિર ભારતનું એકમાત્ર મંદિર હોવાનું કહેવાય છે .

 

 11. વિજાપુર : અહીંનું ભવ્ય જૈન દેરાસર યાત્રાળુઓથીધમધમતું રહે છે .

 

12. કડી : મધ્યમાં આવેલો કિલ્લો , રંગમહેલ , મેલડી માતાનું મંદિર , યવતેશ્વર મહાદેવ વગેરે જોવાલાયક છે .

 

 Download PDF click here


નવસારી અને પંચમહાલ જિલ્લા




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ