નવસારી જિલ્લો
ગુજરાતના જિલ્લાઓની સફરે
1. નવસારી:પૂર્ણા નદીના કિનારે વસેલું જિલ્લાનું મુખ્ય મથક છે . નવસૈયદપીરનીમઝારહિન્દુ - મુસ્લિમોમાં પ્રસિદ્ધ છે ,
જમશેદજી તાતા અને દાદાભાઈનવરોજીનાજન્મસ્થળનાં મકાનો આજે પણ મોજૂદ છે
2. દાંડી : મહાત્મા ગાંધીની ઐતિહાસિક દાંડીકૂચ સાથે સંકળાયેલું આ સ્થળ દરિયાકિનારે આવેલું છે .
6 એપ્રિલ , 1930 ના રોજ અહીં ચપટી મીઠું ઉપાડી ગાંધીજીએમીઠાના કાયદાનો ભંગ કર્યો હતો . આ પ્રસંગની યાદમાં અહીં દાંડીસ્મારક બનાવવામાં આવ્યું છે .
૩. બીલીમોરા સોમનાથ મહાદેવનું મંદિર બહુ પ્રસિદ્ધ છે . વલસાડીસાગમાંથી રાચરચીલું બનાવવાનાંકારખાનાં અહીં વિકસ્યાં છે .
4. ઉભરાટ : લીલી વનરાજી અને દરિયાકિનારાનાસૌંદર્યથીમઢાયેલું . એક વિહારધામ છે .
5. મરોલી : કસ્તૂરબાસેવાશ્રમને લીધે પ્રસિદ્ધ છે . અહીંની માનસિક રોગની હાસ્પિટલ જાણીતી છે .
6. વાંસદા: જૂના રજવાડાનું સ્થળ છે . મહેલ અને દરબારગઢ જોવાલાયક છે . અહીં રાષ્ટ્રીય અભયારણ્ય છે .
પંચમહાલ જિલ્લો
1. ગોધરા જિલ્લાનું મુખ્ય મથક છે . વૈષ્ણવ સંપ્રદાયની ચાર બેઠકો અહીં આવેલી છે . શાંતિનાથનું પ્રખ્યાત દેરાસર છે .
2. ચાંપાનેર ( પાવાગઢ ) : વનરાજ ચાવડાએ પોતાના સેનાપતિચાંપાનીસ્મૃતિમાંપાવાગઢની તળેટીમાં આ નગર વસાવ્યું હતું .
આ સ્થળે આવેલી ' જામા મસ્જિદ ગુજરાતની
સુંદર મસ્જિદો પૈકીની એક છે . આ ઉપરાંત કેવડા મસ્જિદ , નગીના મસ્જિદ અને ખજુરી
મસ્જિદ પણ જોવાલાયક ઇમારતો છે .
પાવાગઢપર્વતનાઉચ્ચતમ શિખર પર મહાકાલી માતાનું મંદિર છે . મંદિરની બાજુમાં ‘
દૂધિયા ’ અને ‘ છાસિયા ’ તળાવો છે .
પાવાગઢડુંગરના મધ્ય ભાગે માંચી ' નામની જગ્યા છે . માંચી પાસે તૈલિયા તળાવ છે
.
0 ટિપ્પણીઓ
Please do not share links in comment