header

બાદશાહનો દરબાર(The court of the emperor)

 

( ૪ ) બાદશાહનો દરબાર




બાદશાહ અકબરને રમૂજ ઘણી જ પ્રિય હતી . વળી એને બુદ્ધિની કસોટી કરે એવા સવાલો પૂછવાનો ઘણો શોખ હતો .

બાદશાહ એવા એવા સવાલ પૂછતા કે ભલભલા બુદ્ધિશાળી એકબીજાના મોં સામે તાકી રહેતા .

જયારે કોઇ જવાબ ન આપી શકે ત્યારે બાદશાહ બીરબલ સામે જોતો અને બુદ્ધિશાળી બીરબલ એવો તો હાજર જવાબી હતો કે બાદશાહ ખુદ એના જવાબથી ચકિત થઇ જતા .

 રાજનું કામ પુરુ થાય એટલે બાદશાહ બે ઘડી હળવાશ અનુભવવા આવા સવાલો પૂછતા . એક દિવસ બાદશાહ રાજ - કાજથી પરવારી ને નિરાંતે બેઠા હતા .

આડી અવળી વાતો ચાલી રહી હતી . અચાનક બાદશાહે પૂછ્યું ‘ ગીષ્મ , વર્ષા , શિયાળો , હેમંત , શિશિર અને વસંત આ છ ૠતુઓમાંથી સર્વોત્તમ ૠતુ કંઇ ? ” કે સવાલ સાવ સહેલો હતો .

કોઇએ કહ્યું કે ગીષ્મ ઋતુ સર્વોત્તમ છે . તો કોઇએ કહ્યું કે વર્ષા જેવી કોઇ ૠતુ નહીં . તો વળી કોઇએ વસંતના વખાણ કર્યા . આમ સૌ પોત પોતાની પસંદ પ્રમાણે સર્વોત્તમ ૠતુ જણાવવા લાગ્યા .

છેલ્લે બાદશાહે ચુપચાપ બેઠેલા બીરબલ સામે જોઇને પૂછ્યું - ‘ બીરબલ સર્વોત્તમ ગાતુ કંઇ ? ’ બીરબલે તરત જવાબ આપ્યો

 - જહાંપનાહ , પેટભરાની ઋતુ સારી હોય . ભુખ્યાને એક પણ ઋતુ સારી નથી હોતી , એટલે કે ભરપેટ હોય તો એ તુ સર્વોત્તમ . ' આવી જ રીતે બાદશાહે એક દિવસ વિચિત્ર સવાલ પૂછેલો ‘ રાત - દિવસ કોણ ચાલતુ રહે છે ?

' જવાબમાં કોઇએ કહ્યું કે સૂર્ય સતત ચાલતો રહે છે . તો કોઇએ પૃથ્વી કહ્યું , તો વળી કોઇએ જવાબમાં ચંદ્ર કહ્યું . છેલ્લે ખાદશાહે બીરબલને આ સવાલ પૂછયો તો બીરબલ બોલ્યો- ‘ અલી જહાં .... વાણીયાનું વ્યાજ સતત ચાલતું રહે છે .

એને કયારેય થાક લાગ્યો છે . દિવસે બમણું તો રાતે ચાર ગણું ચાલતું રહે છે . બીરબલના આ જવાબથી બાદશાહ ઘણાં ખુશ થઇ ગયા હતા .

વળી એક દિવસની વાત છે . બાદશાહ અને બીરબલ રાજમહેલમાં વિનોદની વાતો કરતા બેઠા હતા ત્યાં બાદશાહે પૂછ્યું ‘ ‘ બીરબલ ! કયારેય એવુ બન્યું છે ખરું કે કોઇના જવાબથી તું ખડખડાટ હસી પડયો હોય અને તને એમ લાગ્યું હોય કે એ માણસ તારા કરતા વધુ બુદ્ધિશાળી છે ?

‘ હાં જહાંપનાહ ... ’ બીરબલ બોલ્યો - મથુરાના ચોબા ઘણાં બુદ્ધિશાળી હોય છે , વળી હાજર જવાબી પણ મારા જેવાજ હોય છે . હું મારી જ વાત તમને કહી સંભળાવું .

 એક દિવસ હું ભરપેટ મોજન કરીને મારા પેટ પર હાથ ફેરવતો બેઠો હતો ત્યાંજ એક મથુરાના ચોબાની નજર મારા પર પડી અને બોલ્યો- “ વાહ વાહ ! કેટલું સરસ પેટ છે .... ’ " " એના આ શબ્દો સાંભળી મને એની મશ્કરી કરવાનું મન થયું

એટલે હું બોલ્યો- “ પેટ તને એટલુ બધું ગમી ગયું હોય તો તું રાખી લે . ’ જવાબમાં મથુરાનો ચોળો હસતા હસતા બોલ્યો- “ આ તો મારું જ છે . '

 ' હું એનો આ જવાબ સાંભળીને ખડખડાટ હસી પડેલો . બીરબલે મથુરાના ચોબાની હાજર જવાબી અને બુદ્ધિના બહુ વખાણ કર્યા . ત્યારબાદ બાદશાહે કહ્યું

‘ બીરબલ , તું મારા દરબારના નવ અણમોલ રત્નોમાંથી એક રત્ન તો છે જ . સાથે જ ચતુર અને બુદ્ધિમાન પણ છે . તારી હાજર જવાબી પર તો હું આફ્રિન છું પણ તે હમણાં કહ્યું કે મથુરાના ચોબા તારા જેવા જ હાજર જવાબી હોય છે એ વાત સાચી છે . ’

‘ સાવ સાચી , જહાંપનાહ ...’’- બીરબલ બોલ્યો . ‘ તો એવો કોઇ ચોબો મળે તો એને દરબારમાં લઇ આવજે.હું એની બુદ્ધિની કસોટી કરવા માગુ છું ’

બાદશાહ બોલ્યા . લઇ આવીશ ....’’- બીરબલ બોલ્યો . ‘ ઘણું સારું ... એવો કોઇ ચોબો મળશે તો હું જરૂર દરબારમાં બીજા જ દિવસે બીરબલ એક ચોબાને દરબારમાં લઇ આવ્યો અને બાદશાહને સલામ કરીને કહેવા લાગ્યો

‘ બાદશાહ સલામત , તમારી આજ્ઞા પ્રમાણે એક મથુરાના કે ચોબાને લઇ આવ્યો છું . કરીલો કસોટી પછી તમને ખાત્રી થઇ જશે મથુરાના ચોબા પણ મારા જેવા જ હાજર જવાબી હોય છે .

બાદશાહે પહેલા તો ચોબાને પગથી માથા સુધી નિહાળ્યો પછી પૂછ્યું - ‘ ચોબાજી , અહીંથી તમે કયાં જવાના છો ? '

‘ મહારાજ , અહીંથી હું સીધો મારા ઘેર મથુરા જઇશ ચોબાજી નમ્ર અવાજે બોલ્યા . સલામ કહેજો .... ‘ એમ ... ’ ’ બાદશાહ બોલ્યો - તો મથુરા ભાભીને અમારા ‘ ઘણું સારું .

 ' ચોબાજી બોલ્યા - ‘ પણ રસ્તામાં તમારા બનેવી વૃંદાવન મળશે , એને શું કહું ? ’ બાદશાહ આ વાતનો જવાબ ન આપી શક્યા અને પ્રસન્ન થઇને ચોબાજીને ઇનામ આપીને વિદાય કર્યા .

આવી જ રીતે એક દિવસ બાદશાહ બીરબલને સાથે લઇને જમુના નદીના કિનારે હવા ખાવા નિકળેલા .

ત્યાં ફરતાં ફરતાં એક જરૂરી વાત યાદ આવી ગઇ અને બીરબલને પૂછવા લાગ્યા ‘ બીરબલ ! સંસારમાં એવી કંઇ ચીજ છે જેને આપણે બધા જોઇ શકીએ છીએ પણ ચંદ્રની નજર એના પર નથી પડતી , સૂર્ય પણ એને નથી જોઇ શકતો .

’ હાજર જવાબી બીરબલે તરત જવાબ આપી દીધો- “ હજુર , એ ચીજ છે અંધકાર . ” બીરબલની બુદ્ધિ પર બાદશાહ ફીદા થઇ ગયા . એક દિવસ બાદશાહના દરબારમાં વાત ચાલી રહી હતી કે ‘ પતિ ’ પાંચ છે .

 ઇન્દ્રપત , સોનીપત , પાણીપત , બાણપત અને બલપત , બીરબલે આ વાતમાં વધારો કરતાં કહ્યું કે હજુ બે પત છે આલીજહાં , એક છે રખપત અને બીજી છે રખાપત .

બાદશાહને એ બંનેનો અર્થ જાણવાની ઇચ્છા થઇ તો બીરબલે સમજાવ્યું કે એ જ બન્ને પતથી શરાફત ઓળખાય છે .

 પોતાની ઇજ્જત રખેવાળી પરાયાની ઇજ્જતથી જ થઇ શકે છે . બાદશાહ આ અર્થ જાણીને ખુશ થઇ ગયા . આવી જ રીતે એક વાર બાદશાહે પૂછેલું - ‘ બ્રાહ્મણ તરસ્યો કેમ અને ગધેડો ઉદાસ કેમ ?

આ બે સવાલ છે . આ બન્ને સવાલનો મારે એક જ જવાબ જોઇએ . ’ દરબારીઓ તો એક બીજા સાથે જોવા લાગ્યા . છેલ્લે બાદશાહે બીરબલ સાથે જોયું તો બીરબલ તરત બોલી ઉઠયો

‘ લોટા ન થા ’ અર્થાત બ્રાહ્મણ પાસે લોટો ન હતો તેથી એ તરસ્યો રહ્યો અને ગધેડો આળોટયો ( લોટા ન થા ) ન હતો તેથી એ ઉદાસ હતો . બે સવાલનો એક જ જવાબ સાંભળી બાદશાહ ખુશ થઇ ગયા .

આવી અજોડ બુદ્ધિ , વાક ચાતુર્ય ધરાવતા બીરબલને તમાકું ખાવાની ટેવ હતી . બીરબલની આ ટેવ બાદશાહને જરાય ન ગમતી . એક દિવસ અકબરને ફરવા જવાની ઇચ્છા થઇ .

બીરબલને સાથે લીધો . બન્ને ફરવા ઉપડયા . રસ્તામાં તમાકુના ખેતરમાં ગધેડાને ઘાસ ખાતો જોઇ બાદશાહે કહ્યું નથી ખાતા . ‘ જો બીરબલ , તમાકુ કેટલી ખરાબ ચીજ છે . ગધેડા પણ એ જવાબમાં બીરબલ હસતા હસતા બોલ્યો - ‘ હાં આલીજહાં ! સાવ સાચી વાત છે .

ગધેડા જ તમાકુ નથી ખાતા ... ’ બીરબલના આ જવાબથી બાદશાહ ભોંઠા પડી ગયા . આવી જ રીતે એક દિવસ બીરબલે બધાની બોલતી બંધ કરી દીધેલી .

વાત એમ બનેલી કે બાદશાહે તમામ દરબારીઓને એક સવાલ પૂછયો ‘ ઉત્તમ જળ કંઇ નદીનું છે ? ’ બધા જ દરબારીઓએ એક અવાજે જવાબ આપ્યો ‘ ગંગાનું જળ ઉત્તમોત્તમ છે .

' બીરબલ ચુપ બેઠો હતો એટલે બાદશાહ બોલ્યા - ‘ બીરબલ ! તું તો કાંઇક બોલ ... ’ બીરબલે પોતાની આદત પ્રમાણે સાવ ઉલ્ટો જવાબ આપ્યો જહાંપનાહ , નદીઓમાં યમુના નદીનું જળ સૌથી ઉત્તમ છે . ’ તરત જ બાદશાહ બોલ્યા

‘ તારું દિમાગ તો ખરાબ નથી થઇ ગયું ને ! કે પછી તારી બુદ્ધિ કયાંક ગીરો મૂકીને આવ્યો છે તું ? તમારા ધાર્મિક ગ્રંથોમાં તો ગંગાજળનો વિશેષ મહિમા છે અને તું યમુનાનાં જળને સૌથી ઉત્તમ જણાવી રહ્યો છે ? ’ બીરબલ તરત બોલ્યો

‘ જહાંપનાહ ! મેં જે કાંઇ કહ્યું છે એ સમજી વિચારીને કહ્યું છે . ગંગાજળ તો અમૃત છે . એની જળ સાથે તુલના કરી જ ન શકાય . એજ વિચારીને મેં યમુના જળને સર્વોત્તમ ગણાવ્યું છે . ’

 બીરબલના આ જવાબથી અકબર બાદશાહ અને બીજા દરબારીઓ પણ ઘણાં ખુશ થઇ ગયા .

 

 મુર્ખાઓની યાદી વાર્તા



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ