header

મૂર્ખાઓની યાદી (List of fools)

 

( ૫ ) મૂર્ખાઓની યાદી

( ૫ ) મૂર્ખાઓની યાદી




એક દિવસની વાત છે . દિલ્હીના પાદરે ઇરાનનો એક શાહ સોદાગર આવ્યો . એ ઘોડાઓનો સોદાગર હતો .

જાત જાતના ઘોડાઓ રાખતો . વેગીલા , પાણીદાર અને જાતવાન ઘોડાઓનો એની પાસે કાફલો હતો . વળી એ પોતે પણ બાદશાહ જેવા વૈભવથી રહેતો .

સામાન્ય માણસ તો એની પાસેથી ઘોડો ખરીદવાનું નામ જ ન લેતો . સોદાગર એક પછી એક રજવાડામાં ફરતો .

નવાબો અને બાદશાહોને પોતાના ઘોડા દેખાડતો અને રાજાને ઘોડો પસંદ પડી જાય તો ઉંચી કિંમતે વેચતો . આવો આ ઇરાની સોદાગર બાદશાહ અકબરના દરબારમાં પુરા ઠાઠ - માઠથી આવ્યો ત્યારે ખુદ બાદશાહે એને માન - પાન આપ્યા .

એની સરભરા કરી . બધા દરબારીઓ સોદાગરને ઓળખાતા હતા અને બધાને ખાત્રી હતી કે બાદશાહ જાતવાન અશ્વોના શોખીન છે . એટલે સોદાગર પાસેથી નક્કી ઘોડાઓ ખરીદશે .

સોદાગરે બાદશાહને પોતાની અશ્વશાળા જોવાનું આમંત્રણ આપ્યું એટલે બાદશાહ બીરબલ તથા પોતાના વફાદાર સેવકો સાથે સોદાગરની અશ્વશાળા જોવા ગયો . ત્યાં એક ને જુવો ત્યાં બીજાને ભુલો એવા પાણીદાર અરબી ઘોડા હણ હણાટી કરતા હતા .

 બાદશાહે દશ ઘોડા પસંદ કર્યા અને ખુબ ઊંચી કિંમત આપી દશે દશ ઘોડા ખરીદી લીધા . દશ ઘોડા ખરીદ્યા પછી બાદશાહ પાછો ફરવા જતો હતો.

ત્યાં એની નજર એક પંચકલ્યાણી ઘોડી પર પડી . એ ઘોડીના રૂપ , રંગ , કાનની ટિશોરી , ધોળા પગ અને સુંવાળી ત્વચા જોતાં જ બાદશાહ આફિન થઈ ગયો .

 જીંદગીમાં ભાગ્યે જ એકાદવાર જોવા મળે એવી આ પાણીદાર ઘોડી હતી . વળી એ દોડવામાં પણ તીર જેવી હતી . બાદશાહે તો તરત જ સોદાગરને કહ્યું “ આ અણમોલ ચીજ તો તે મને દેખાડી જ નહીં .

 મારે આ ઘોડી ખરીદવી છે . હું માંગે એ કિંમત આપવા હું તૈયાર છું . હવે તો બસ હું આ ઘોડી પર જ સવારી કરીશ .... ' જવાબમાં સોદાગર બોલ્યો ‘ જહાંપનાહ , બેઅદબી માફ . હું આ ઘોડી તમને આપી શકું તેમ નથી ... ’ ‘ કારણ ? ’ બાદશાહે પૂછ્યું .

 ‘ હજુર .... ' સોદાગર નમ્રતાથી બોલ્યો “ આ ઘોડીનો સોદો થઇ ગયો છે . માળવાના એક ઠાકોરને મેં આ ઘોડી વેચી દીધી છે અને અહીથી હું સીધો માળવા જ જવાનો છું .

જો હું આ ઘોડી તમને આપી દઉ તો એ મારી બેઇમાની ગણાય અને આલીજહાં અમારી જવુંપ શાખ બગડે તો અમારે મરી જવું પડે . પણ તમે ચિંતા ન કરો .

 આવી મારી પાસે બીજી બે ઘોડી છે . જો કે હું એ બંન્ને ઘોડીઓ સાથે નથી લાવ્યો કારણ કે આવા પાણીદાર મોતીના ગ્રાહક અમને ભાગ્યે જ મળે . તેથી અમે એવો કિંમતી માલ સાથે રાખતા નથી .

પણ હજુરની ઇચ્છા જો આવી ઘોડી ખરીદવાની હોય તો આવતા ફેરે અવશ્ય સાથે લેતો આવીશ ... ’ .. ‘ ‘ સારું ... આવતા ફેરે બન્ને ઘોડીઓ લેતો આવજે , હું બન્ને ખરીદી લઇશ .... ' ' બાદશાહ બોલ્યો .

 “ બેઅદબી માફ હજુર ! પણ તમારે બાના રૂપે મને એકએમનો બાહ્ય ભપકો એવો હોય છે કે આપણને ડાહ્યા જ લાગે . વળી જહાંપનાહ , આ કામમાં દશેક હજાર સોનામહોરનું ખર્ચ પણ થશે ..... ‘ એ તને ખજાનચી પાસેથી મળી જશે .

તું યાદી તૈયાર કરવા માંડ .... ' બાદશાહે હુકમ કર્યો . બીરબલે તો ખજાનચી પાસેથી દશ હજાર સોનામહોર લઈ લીધી અને એક મહીના સુધી ખાઈ - પીને આરામ કર્યો . મહીનો પુરો થયો પછી બીરબલ દરબારમાં આવ્યો .

બીરબલને જોતા જ બાદશાહે પૂછ્યું - ‘ બીરબલ , એક મહીના પહેલાં મેં તને એક કામ સોંપેલું એ કામ તેં પુરું કર્યું ? ' ‘ જી હાં હજુર .... તમે જાતે જ જોઈલો આ રહી યાદી .... ' કહીને બીરબલે એક મોટો કાગળ બાદશાહના હાથમાં મૂક્યો .

 એમાં ઘણા બધા નામ લખેલાં હતા . બાદશાહે કાગળ હાથમાં લઈ મૂર્ખાઓના નામ વાંચવાની શરૂઆત કરી ત્યાં જ એને આંચકો લાગ્યો . કારણ કે પહેલું જ નામ એનું પોતાનું હતું . પોતાનું નામ સૌથીપહેલું જોઈને બાદશાહના રોષ અને નવાઈનો કોઈ પાર ન રહ્યો .

 લાલ આંખે બીરબલ સામે જોઈને પૂછ્યું - ‘ મૂર્ખાઓની યાદીમાં મારું નામ ? અને એમાંય તે મારું નામ પહેલું નામ મુક્યું ? કાં તો તું જાણી જોઈને મારી મશ્કરી કરી રહ્યો છે અને કાં તો તારી ભુલ થઈ રહી છે .... ’ ' ના , નામદાર ... ' બીરબલ એકદમ નમ્ર અવાજે બોલ્યો - ‘ મારી કોઈ ભુલ થતી નથી .

ખુબ સમજીને મેં તમારું નામ સૌથી ઉપર મુક્યું છે . તમારૂં નામ સૌથી ઉપર ન મુકું તો બીજા મૂર્ખાઓને અન્યાય થાય કારણ કે તમે પ્રથમ કક્ષાના મૂર્ખ છો .... '

‘ મને તું પ્રથમ કક્ષાનો મૂર્ખ કઈ રીતે ગણે છે ? મેં એવું તે મૂર્ખામી ભર્યું કામ કર્યું છે ? ’ બાદશાહે પૂછ્યું . બીરબલને હવે લાગ મળી ગયો .

 એ તરત બોલ્યો - જો તમે પ્રથમ કક્ષાના મૂર્ખ ન હોત તો તમે પેલા ઈરાની શાહ સોદાગરને તેનું નામ ઠામ અને ઠેકાણું જાણ્યા વગર એક હજાર સોનામહોર આપી ન દીધી હોત .

ધારો કે એ એ સોદાગર ઘોડીઓ લઈને ન આવ્યો તો તમે એનું શું કરી લેવાના છો ? એનું નામ - ઠામ પૂછ્યા વગર તમે એક હજાર સોનામહોર આપી દીધી એ તમારી મૂર્ખાઈ નથી તો બીજુ શું છે ?

 ' બીરબલની આ વાતો સાંભળી બાદશાહ વિચારમાં પડી ગયો . થોડીકવાર વિચાર કર્યા પછી બોલ્યો - ‘ પણ બીરબલ ! ધારોકે એ વેપારી ઘોડીઓ લઈને આવ્યો તો ? ’ જ્ બીરબલ હસતા હસતા બોલ્યો - જહાંપનાહ ! પહેલી વાત તો એ છે કે સોદાગર પાછો આવવાનો જ નથી અને ધારોકે એ પાછો આવ્યો તો હું તમારા નામની જગ્યાએ એનું નામ લખીશ .

 પૈસા મળી ગયા પછી પણ ઘોડીઓ લઈને અહીં આવનાર જેવો મૂર્ખ જગતમાં શોધ્યો ન મળે ..... ' બીરબલનો જવાબ સાંભળી બાદશાહ ભોંઠો પડી ગયો , અને સાચે જ સોદાગર કદી પાછો ન આવ્યો .

 

 

બ્રાહ્મણનું સ્વપ્ન વાર્તા  

 


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ