( ૬ ) દિલ્હીના કાગડા
ના કાગડા એક દિવસની વાત
છે . અકબર બાદશાહ દરબાર ભરીને બેઠો છે . બાદશાહને ઘણીવાર તુક્કા સુઝતા અને એ એવા
વિચિત્ર સવાલો પૂછતો કે બધાયના મોં સીવાઈ જતા .
એમાંય બાદશાહ બીરબલની
બુદ્ધિની તો અનેકવાર પરીક્ષા કરતો અને બીરબલ પણ બાદશાહના વિચિત્ર સવાલોના એવા
જડબાતોડ જવાબ આપતો કે બાદશાહ ખુશ થઈ જતો . આજે બાદશાહ ઘણો ખુશ હતો.રાજકાજથી
પરવાર્યા પછી અલક - મલકની વાતો થવા લાગી ત્યારે બાદશાહે એક અત્યંત વિચિત્ર સવાલ
પૂછયો - ‘ દિલ્હી શહેરમાં કાગડા કેટલા ?
’ બાદશાહ અવાર નવાર આવા પ્રશ્ન પૂછતો , પણ આવો
વિચિત્ર પ્રશ્ન પૂછશે એવી તો કોઈએ કલ્પના પણ કરી ન હતી . દિલ્હી શહેરમાં માણસો
કેટલા ? એમ પૂછે તો ગણતરી કરીને કહી પણ શકાય પણ કાગડાની ગણતરી શી રીતે કરવી ? બધા
દરબારીઓ મુંઝાઈને એકબીજાના મોં સામે જોવા લાગ્યા .
જવાબ શું આપવો ? અકબર બાદશાહે ફરી આ સવાલ પૂછયો
અને કહ્યું કે જે કોઈ આ સવાલનો સાચો જવાબ આપશે એને સો સોનામહોરનું ઈનામ આપવામાં
આવશે પણ જો જવાબ ખોટો હશે તો એનું માથું ધડથી જુદું કરવામાં આવશે .
સો સોનામહોરની લાલચ
ઘણાંને થઈ આવી પણ સજા પણ એવી જ ભયંકર હતી . એટલે બધા મોં સીવેલા રાખીને બેસી ગયા .
કેટલાક બીરબલ સામે જોવા લાગ્યા .
છેવટે બાદશાહે પણ બીરબલ
સામે જોયું પછી મૂછમાં હસતા બોલ્યા ‘ બીરબલ , બધા તારી બુદ્ધિના અને તારી હજાર
જવાબીના ઘણાં વખાણ કરે છે . તારી પાસે તો મારા સવાલનો જવાબ હશે જ ને . ’ ‘ જરૂર છે
... ’ ’ બીરબલ જરાપણ ડર વગર બોલ્યો , એને તો ખાત્રી હતી કે છેલ્લે બાદશાહ એને જ
પ્રશ્ન પૂછવાના છે . “ તો બોલ દિલ્હીમાં કાગડા કેટલા છે ? જરા સમજી વિચારીને જવાબ
આપજે .
જો જવાબ ખોટો હશે તો મારે
તારું માથું ધડથી અલગ કરી દેવું પડશે .... ' બાદશાહ બોલ્યા . અવશ્ય નામદાર ! પણ
મારો જવાબ ખોટો હોઈ જ ન શકે.કારણ કે હજું મેં એક મહીના પહેલા જ રૂપિયા ૨૦ હજાર
ખર્ચીને કાગડાની ગણતરી કરાવી છે . મારે હજું એ પૈસા પણ રાજ પાસેથી લેવાના છે .
ગયા મહીને દિલ્હીમાં
કાગડાની સંખ્યા પંદર હજાર નવસો ચોર્યાસી હતી .... ' બીરબલ બોલ્યો . ‘ તને પાક્કી ખાત્રી છે ? ’ બાદશાહે આશ્ચર્યથી
પૂછ્યું . ‘ નામદાર , ખત્રી વગર હું બોલું જ નહિ .
મેં હજુ ગયા મહિને જ
કાગડાની વસ્તી ગણતરી કરાવી છે . કાગડા પંદર હજાાર નવસો ચાર્યાસી જ થયા છે . “ અને
ધારોકે કાગડાની સખ્યા વધારે થઈ તો બાદશાહે પૂછ્યું . હાજર જવાબી બીરબલે તરત જવાબ
આપ્યો - ‘ આલીજહાં , તો આપણા શહેરના કાગડાઓને તેમના સગાઓ બહારગામથી મળવા આવ્યા હશે.
અને કદાચ સંખ્યા ઓછી થાય તો આપણા શહેરના કાગડાઓ
તેમના સગાઓને મળવા બહારગામ ગયા હશે .... ’ બીરબલના આ જવાબથી બધા હસી પડયા .
બીરબલને સો સોનામહોર ઈનામમાં તો મળી જ ઉપરથી એણે કાગડાની વસ્તી ગણતરીમાં કરેલા
ખર્ચના વીસ હજાર રૂપિયા પણ લીધા .
0 ટિપ્પણીઓ
Please do not share links in comment