header

મધ્યકાલીન ગુજરાત [Medieval Gujarat]

 

2. મધ્યકાલીન ગુજરાત





દિલ્લી સલ્તનત યુગઃ 

અલાઉદીનનો બનેવી અલપખાન ( ઈ . સ . 1306 થી 1315 ) ગુજરાતનો ગવર્નર બન્યો . અલાઉદીને જીવનજરૂરિયાતની વસ્તુઓનું ભાવનિયમન કર્યું હતું .

તઘલક યુગઃ

 ઈ . સ . 1320 માં તઘલક યુગની શરૂઆત થઈ . તઘલક વંશનો મહંમદ તઘલક તરંગી અને વિદ્વાન હતો . તેનો મોટા ભાગનો સમય ભરૂચ , તથી વગેરે અમીરોના બળવાઓને શમાવવામાં ગયો હતો 

. તેણે જૂનાગઢ અને ઘોઘાના રાજાઓને હરાવ્યા હતા . ઈ . સ . 1398 માં તૈમૂરે દિલ્લી પર ચડાઈ કરતાં તાતારખાને ( મહંમદશાહ પહેલાએ ) ગુજરાતમાં આશ્રય લીધો .

 ગુજરાત સલ્તનત યુગઃ

 ઑક્ટોબર , 1407 માં ઝફરખાને મુઝફ્ફરશાહ પહેલાનો ઇલકાબ ધારણ કરી બીરપુર મુકામે ગુજરાતના સ્વતંત્ર મુસ્લિમ રાજ્યની સ્થાપના કરી . 10 મી જાન્યુઆરી , 1411 માં એહમદખાન ‘ નસીરૂદ્દીન એહમદશાહ’નો ખિતાબ ધારણ કરી રાજગાદીએ આવ્યો . 

તે ગુજરાતની સલ્તનતનો ખરો સ્થાપક ગણાય છે . તેણે 13 મી એપ્રિલ , 1411 ના રોજ કર્ણાવતીનગર પાસે અમદાવાદ શહેરની સ્થાપના કરી અને પોતાની રાજધાની પાટણથી અમદાવાદ ખસેડી . તેણે વડોદરા અને મોડાસામાં ગયેલા બળવાઓનું શમન કર્યું તથા ઈડરના રાવ અને માળવાના સુલતાનો

અવારનવાર યુદ્ધો કર્યાં . તેણે ઝાલાવાડ , ચાંપાનેર , નાંદોદ અને નાગઢના રાજાઓને તથા બહ્મની સુલતાન અહમદશાહને હરાવ્યા . તેણે હાથમતી નદીના કિનારે અહમદનગર ( હિંમતનગર ) વસાવ્યું હતું . તેના સમયમાં અમદાવાદમાં જુમા મસ્જિદ , ભદ્રનો કિલ્લો અને ત્રણ દરવાજાનું બાંધકામ થયું હતું .

 કુતુબુદ્દીન એહમદશાહે ( ઈ.સ. 1451 થી 1458 ) ' હોજ઼ કુતુબ ' ( કાંકરિયા તળાવ ) અને નગીનાવાડી બંધાવ્યાં હતાં . ગુજરાતના ઇતિહાસમાં મેહમૂદ બેગડાને નામે પ્રખ્યાત નસીરૂદ્દીન મેહમૂદશાહ ( ઈ . સ . 1458 થી 1513 ) મુસ્લિમ શાસકોમાં સર્વશ્રેષ્ઠ રાજ્યકર્તા હતો . તેણે જૂનાગઢ અને પાવાગઢ જીત્યાં હતાં 

અને ચાંપાનેર , સિંધ , માળવા તથા ઈડરના રાજાઓને હાર આપી હતી . મેહમૂદ બેગડાએ ચેવલ બંદર પાસે ફિરંગીઓને અને દ્વારકા પાસે ચાંચિયાઓને હરાવ્યા હતા . તેણે સરખેજ , રસુલાબાદ , વટવા , અમદાવાદ , ચાંપાનેર અને ધોળકામાં મસ્જિદ , રોજા , ઇમારતો વગેરે બંધાવ્યાં હતાં . તેના 

સમયમાં અમદાવાદમાં દાદા હિરની વાવ અને અડાલજની વાવનાં સ્થાપત્યો થયાં હતાં . મુઝફ્ફરશાહ બીજો ( ઈ.સ. 1513 થી 1526 ) વિદ્વાન , સંયમી અને પવિત્ર સુલતાન હતો . તેણે ઈડર , ચિત્તોડ અને માળવાના રાજાઓને યુદ્ધમાં હરાવ્યા હતાં . 

તેણે હુમાયુ સામેની લડતમાં નજીવી મદદ કરનાર પોર્ટુગીઝોને દીવમાં વેપાર કરવાની પરવાનગી આપીને ગંભીર ભૂલ કરી હતી . છેલ્લા સુલતાન મુઝફ્ફરશાહ ત્રીજા ( ઈ . સ . 1561 થી 1572 ) ના વજીર ઇતિમાદખાને અકબરને ગુજરાત જીતવા આમંત્રણ આપ્યું અને ગુજરાત સલ્તનતનો અંત આવ્યો .

 મુલ યુગ : 

અકબરે ઈ . સ . 1572–73માં ગુજરાતમાં વિજયો મેળવી મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી અને મુઘલ શાહજાદાઓને ગુજરાતના સૂબા તરીકે મોકલ્યા . અકબરના સમયમાં રાજા ટોડરમલે જમીનની જાત પ્રમાણે મહેસૂલ રોકડમાં લેવાની પદ્ધતિ દાખલ કરી હતી .

 જહાંગીરે સત્તા પર આવતાં ખંભાતની મુલાકાત લીધી હતી . તેણે અંગ્રેજ પ્રતિનિધિ સર ટોમસ રોને વેપાર કરવાની પરવાનગી આપતાં અંગ્રેજોએ ઈ . સ . 1613 માં સુરતમાં પોતાનું પ્રથમ વેપારી મથક સ્થાપ્યું હતું . આ પછી અંગ્રેજોએ ભરૂચ , અમદાવાદ , ઘોઘા , ખંભાત વગેરે સ્થળોએ વેપારી મથકો સ્થાપ્યાં . 

અંગ્રેજો વેપાર વધારતા ગયા અને લશ્કરથી સુસજ્જ થતા ગયા . જહાંગીરે અમદાવાદની ટંકશાળમાં રાશિવાળા સિક્કા પડાવ્યા હતા . શાહજહાંના સમયમાં અમદાવાદમાં શાહીબાગ બન્યો હતો . ઓરંગઝેબના સમયમાં એકસરખી જકાત દાખલ કરવામાં આવી હતી અને કારીગરો માટે સમાન વેતન ઠરાવ્યું હતું .

 તે સુન્ની અને અસહિષ્ણુ મુસલમાન હતો . તેણે હોળી અને દિવાળીના ધાર્મિક ઉત્સવો ઊજવવા પર પ્રતિબંધ મૂક્યો હતો . તેના સમયમાં સુરત ‘ મક્કાનું પ્રવેશદ્વાર ’ ગણાતું . અહીં અંગ્રેજ , ડચ અને ફ્રેંચ વેપારીઓની કોઠીઓ હતી . 

અમદાવાદ સુતરાઉ , રેશમી અને ગરમ કાપડના ઉત્પાદન માટે જાણીતું હતું . ખંભાતથી કાપડ , ગળી , જરીવાળું કાપડ વગેરેની નિકાસ થતી હતી . ઈ.સ. 1664 અને 1670 માં શિવાજીએ સુરત લૂંટ્યું હતું .

ઈ . સ . 1707 માં ઔરંગઝેબનું મૃત્યુ થતાં મુઘલ સત્તા નબળી પડી . ત્યારપછી મુઘલો ગાયકવાડ અને પેશ્વાના હુમલાઓ ખાળી ન શક્યા . મુઘલ અને મરાઠાઓ વચ્ચેના સંઘર્ષમાં પ્રજાના જાનમાલની સલામતી ન રહી . મુઘલ બાદશાહની નબળાઈનો લાભ લઇ જૂનાગઢ , રાધનપુર અને ખંભાતના શાસકો સ્વતંત્ર બન્યા . સુરત અને ખંભાતનાં બંદરોની જાહોજલાલી અસ્ત પામી . દામાજીરાવ ગાયકવાડના પુત્રો વચ્ચેના ક્લહનો લાભ લઈ અંગ્રેજોએ સુરત અને ભરૂચમાં પોતાની સત્તા દઢ  કરી.






ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ