જૂનાગઢ
ગુજરાતના જિલ્લાઓની સફરે
1. જૂનાગઢ ગિરનાર પર્વતની તળેટીમાં વસેલું જૂનાગઢ શહેર જિલ્લાનું મુખ્ય મથક છે .
ગુજરાતના આદિકવિ ભક્ત નરસિંહ મહેતાનાંમાતાપિતાનું અવસાન થતાં ભાઈભાભી પાસે જૂનાગઢમાં રહ્યા હતા .
ઉપરકોટમાંરાણકદેવીનો મહેલ છે . આ ઉપરાંત અડી - કડીની વાવ અને નવઘણ કૂવો , સક્કર બાગ ,
દરબાર હૉલ મ્યુઝિયમ , નરસિહ ચોરો , અશોકનો શિલાલેખ , હસ્તક્લા ઉદ્યોગની
સંસ્થા ' રૂપાયતન ' અહીંનાં જોવાલાયક સ્થળો છે .
2. ગિરનાર પર્વત ગિરનારની તળેટીમાં અશોકનો શિલાલેખ , રુદ્રદામનનો શિલાલેખ , દામોદર કુંડ , રૈવતી કુંડ , ગોરખનાથનું મંદિર વગેરે જોવાલાયક છે
. ગિરનાર પર્વતની પહેલી ટૂંક પર બારમી સદીનુંનૈમિનાથજીનું જૈન મંદિર છે . બીજી ટૂંક પર અંબાજીનું મંદિર છે .
દત્તાત્રેયની ટૂંક સુધી પહોંચવા આશરે દસ હજાર પગથિયાં છે .
3. સતાધાર : સૌરાષ્ટ્રના સુવિખ્યાત સંત આપાગીગાની સમાધિનું સ્થળ છે .
4. ચોરવાડ : અહીંનોદરિયાકિનારોપ્રવાસીઓ માટે આહ્લાદક છે . ઉનાળામાં જૂનાગઢના નવાબ અહીં રહેતા હતા .
નવાબનો મહેલ હોલી -ડેહોમમાંફેરવાઈ ગયો છે .
ડાંગ જિલ્લો
1. આહવા : જિલ્લાનું મુખ્ય મથક છે . આદિવાસી વિદ્યાર્થીઓ માટે અહીં આશ્રમશાળા છે . ઇમારતી લાકડાના વેપારનું મોટામાં મોટું મથક છે .
2. સાપુતારા:આયોજનપૂર્વક વિકાસ પામેલું , સહ્યાદ્રિપર્વતમાળામાં આવેલું ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે .
‘ સાપુતારા ’ શબ્દનો અર્થ ‘ સાપનો નિવાસ ’ થાય છે . ડાંગનાઆદિવાસીઓ હોળી તથા દિવાળીનાતહેવારોમાંસર્પગંગા નદીના કિનારે ભેગા થઈ સાપની પૂજા કરે છે .
હોળીના સમયે અહીં ' ડાંગ દરબાર ' ભરાય છે . ‘ ડાંગ દરબાર ' ડાંગી પ્રજાનો સૌથી મોટો લોકોત્સવ છે .
સાપુતારાનાં જોવાલાયક સ્થળોમાંસનરાઇઝ પૉઇન્ટ , સનસેટ પૉઇન્ટ , ઇકો પૉઇન્ટ , બોટિંગ , દીપકલા ઉદ્યાન , ઋતંભરા વિશ્વ વિદ્યાલય , સાપુતારા સંગ્રહસ્થાન ,
વાઘબારી , મધમાખી ઉછેરકેન્દ્ર , ત્રિફ્ફા વન વગેરે મુખ્ય છે . બારડીપાડાનું અભયારણ્ય અહીં છે . પૂર્ણિમા પકવાસાએ અહીં સુંદર વિદ્યાધામ વિકસાવ્યું છે .
0 ટિપ્પણીઓ
Please do not share links in comment