header

IPC 1860 પ્રકરણ 4 [સામાન્યઅપવાદો] કલમ (76 થી 106) ,IPC 1860 Chapter 4 [General Exceptions] Articles (76 to 106)

 IPC 1860 

પ્રકરણ 4 [સામાન્યઅપવાદો]


કલમ (76 થી 106)




IPC ARTILE 76.

કાયદાથી બંધાયેલી અથવા હકીક્ત અંગેની ભૂલને કારણે પોતાને કાયદાથી બંધાયેલી માનતી વ્યક્તિઓએ કરેલું કૃત્યગુનો નથી . “ સ્વયં કાયદાથી અજાણ છે તે બચાવ નથી - Ignorantia juris non excusat . ”

IPC ARTILE  77.

 ન્યાયિક રીતે કૃત્ય કરતા ન્યાયાધીશનું કૃત્ય ગુનો નથી . “ ન્યાયાધીશનું અંગત જીવનનું કૃત્ય ગુનો બને

IPC ARTILE  78.

  ” ન્યાયાલયનાફેસલા અથવા હુકમ અનુસાર કરેલું કૃત્ય શુદ્ધ બુદ્ધિથી કરેલું ગણાશે . " ઉદા . - જલ્લાદનું કાર્ય , પોલીસનું કાર્ય ( encounter ) .

IPC ARTILE  79.

  " કાયદાનો મત હોય અથવા હકીકત અંગેની ભૂલને કારણે પોતે કાયદાનો મત હોવાનું માનતી હોય તેવી વ્યક્તિએ કરેલું કૃત્ય ગુનો નથી .

IPC ARTILE  80.

 કાયદેસર કૃત્ય કરવામાં અકસ્માત થાય તો તે કૃત્ય ગુનો નથી . ( ગુનાહિતમાનસના અભાવ • ણ ઇરાદે + કાયદેસરની પ્રક્રિયા ને કાયદેસરનાં સાધનો દ્વારા )

IPC ARTILE  81.

  જે કૃત્યથી હાનિ થવા સંભવ હોય તેવું પણ ગુનાહિતઈરાદા વિના અને બીજી હાનિ થતી અટકાવવા કરેલું કૃત્ય ગુનો નથી . દા.ત. આગ અટકાવવા કોઈ વ્યક્તિ કોઈ ધરનો ટાંકો તોડે તો તે ગુનો નથી ,

IPC ARTILE  82.

 7 વર્ષથી નાની વયના બાળકનું કૃત્ય ગુનો નથી .

IPC ARTILE  83.

 પોતાની વર્તણૂકનો પ્રકાર અને પરિણામનો ખ્યાલ કરવા પૂરતી જેની સમજક્તિ ન હોય તેવા 7 વર્ષથી વધુ અને 12 વર્ષથી ઓછી વયનાબાળકે કરેલું કૃત્ય ગુનો નથી .

IPC ARTILE  84.

 અસ્થિર મગજની ( દીવાની વ્યક્તિ , પાગલ , ગાંડી)વ્યક્તિનુંકૃત્ય  ગુનો નથી . કાયદામાં આ માટે “ અસ્વસ્થ મગજની વ્યક્તિ " શબ્દો ઉલ્લેખ છે .

IPC ARTILE  85.

પોતાની ઇચ્છા વિરુદ્ધ કરાયેલા નશાને કારણે નિર્ણય ન કરી શકે તેવી વ્યક્તિએ કરેલું કૃત્ય ગુનો નથી . { નશો જાણ બાર કરાયેલો હોવો જોઇએ }.

IPC ARTILE  86.

 નશામાં હોય તેવી વ્યક્તિએ કરેલો ગુનો જેમાં ખાસ ઈરાદો અથવા જાણકારી હોવી આવશ્યક છે . (આવા કિસ્સાઓમાં વ્યક્તિનું અગાઉનું ચારિત્ર્ય તપાસવું)

IPC ARTILE  87.

સંમતિથી કરેલું કૃત્ય જેનાથી મૃત્યુ નિપજાવવાનો કે મહાવ્યથા કરવાનો ઈરાદો ન હોય અથવા તેમ થવાનો સંભવ હોવાની જાણ ન હોય તે કૃત્ય ગુનો નથી .

IPC ARTILE  88.

 મૃત્યુ નિપજાવવાનો ઈરાદો ન હોય તેવું કોઈ વ્યક્તિના ફાયદા માટે તેની સંમતિથી શુદ્ધ બુદ્ધિથી કરેલું કૃત્ય ગુનો નથી .

IPC ARTILE  89.

 કોઈ બાળક અથવા પાગલ વ્યક્તિના ફાયદા માટે તેના વાલીએ અથવા વાલીનીસંમતિથી શુદ્ધ - બુદ્ધિથી કરેલું કૃત્ય ગુનો નથી .

IPC ARTILE  90.

 ભયના લીધે , ખોટા ખ્યાલના લીધે , મગજની અસ્તિતાને કારણે . 12 વર્ષથીઓછીવયની વ્યક્તિએ સંમતિ આપેલ હોય તો તે દિષ્ટ/ યોગ્ય સંમતી નથી .

IPC ARTILE  91.

 હાનિ થયા વિના પણ જે કૃત્યો ગુના બને છે તે કૃત્યોકલમો -87 , 88 , 89 ના અપવાદો લાગુ પડશે નહીં .

IPC ARTILE  92.

કોઈ વ્યક્તિના ફાયદા માટે તેની સંમતિ વિન શુદ્ધ બુદ્ધિથી કરેલું કૃત્ય ગુનો નથી , પરંતુ મૃત્યુ નિપજાવવાનાકૃત્યને આ અપવાદ લાગુ પડશે નહીં .
IPC ARTILE  93.

 કોઈ વ્યક્તિ શુદ્ધ બુદ્ધિથી જણાવીને કોઈ પણ બાબત જો તે વ્યક્તિના ફાયદા માટે કરેલ હોય તો તેને તેથી કાંઈ હાનિ થાય એ કારણે તે ગુનો નથી .

IPC ARTILE  94.

  ધમકીથી જે કરવાની કોઈ વ્યક્તિને ફરજ પાડી હોય તે કૃત્ય જો વાજબી દહેશત પેદા કરે એવી ધમકીઓથી તે કરવાની રજ પાડવામાં આવી હોય તો તેણે કરેલું કૃત્ય ગુનો નથી .

IPC ARTILE  95.

 જેનાથી નજીવી હાનિ થાય તેવું કૃત્ય કે જેથી સામાન્ય સમજણવાળી વ્યક્તિ ફરિયાદ કરે નહીં તો તે હાનિને કારણે કોઈ કૃત્ય ગુનો નથી .

 

ખાનગી બચાવનો હક્ક

 
IPC ARTILE  96.

 ખાનગી બચાવનો હક્ક વાપરતાં કરેલું કૃત્ય ગુનો નથી . ( Self Defence IPC નો અધિનિયમ છે , પોલીસ દરેક જગ્યાએ પહોંચી શકતી નથી) ,

IPC ARTILE  97.

શરીર અને મિલક્તના ખાનગી બાવનો હક્ક દરેક વ્યક્તિ મર્યાદામાં રહીને વાપરી શકશે . પોતાના અને અન્યના શરીરનો તથા સ્થાવર કે જંગમ મિલકતનો સ્વ - બચાવ કરી શકાશે . ( નોંધ : અન્ય વ્યક્તિ નિર્દોષ હોવી જોઈએ . )

IPC ARTILE  98.

 - અસ્થિર મગજની વગેરે વ્યક્તિઓનાંકૃત્ય સામે ખાનગી બચાવનો હક્ક છે .

IPC ARTILE  99.

 કોઈ રાજ્યસેવક પોતાના હોદ્દાની રૂએ જે કૃત્યથી મોત અથવા મહાવ્યથાથવાની વાજબી રીતે દહેશત ઊભી થતી ન હોય એવું કોઈ કૃત્ય શુદ્ધ બુદ્ધિથી કરતો હોય તે કૃત્ય સામે ખાનગી બચાવનો હક્ક નથી .

IPC ARTILE  100.

  શરીરના ખાનગી બચાવનો હક્ક મર્યાદામાં રહીને જો મૃત્યુની વાજબી દહેશત , મહાવ્યથા , બળાત્કાર , સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય , અપહરણ અથવા અપનયન , ગેરકાયદેસર અટકાયત , એસિડ ફેંકવું / હુમલો કે તેનો પ્રયત્ન ( 2013 થી ઉમેરાયું ) કે રાજ્ય સત્તાધિકારી પોતાને મદદ મેળવી શકશે નહીં એવી વાજબી રીતે હુમલો કરનારનુંસ્વેચ્છાપૂર્વક મૃત્યુ નિપજાવવા સુધી અથવા તેને બીજી કોઈ હાનિ કરવા સુધી પહોંચે છે .

IPC ARTILE  101.

 ગુનો જો ઉપરની છેલ્લી કલમમાં ગણાવેલાપ્રકારો પૈકી કોઈ પ્રકારનો ન હોય તો શરીરના ખાનગી બચાવનો હક્ક મૃત્યુ નિપજાવવા સુધી પહોંચતો નથી .

IPC ARTILE  102.

ગુનો કરવાની કોશિશ અથવા ઘમકીથી શરીરને જોખમ પહોંચવાનો વાજબી ભય પેદા થાય કે તરત જ ખાનગી બચાવનોહક્ક શરૂ થાય છે .

IPC ARTILE  103.

મિલકતના ખાનગી બચાવનો હક્ક કલમ -99 માં જણાવેલીમર્યાદાઓમાં રહીને જો લૂંટ , રાત્રે ઘરફોડ , રહેવાનાસ્થળનોઆગથી બગાડ , મહાવ્યથા કે મૃત્યુનો ભય હોય , તેવો ગૃહ - અપપ્રવેશ વગેરે માટે મૃત્યુ નિપજાવવા સુધી પહોંચે છે .

IPC ARTILE  104.

 ઉપરની છેલ્લી ક્લમમાં દર્શાવ્યા સિવાયના કોઈ ગુના માટે બચાવનો હક્ક મૃત્યુ નિપજાવવા સુધી પહોંચતો નથી .

IPC ARTILE  105.

 મિલકતને જોખમ પહોંચવાનો વાજબી ભય હોય ત્યારથી જ મિલકતના ખાનગી બચાવનો હક્ક શરૂ થાય છે .

IPC ARTILE  106.

 નિર્દોષ વ્યક્તિને હાનિ થવાનું જોખમ હોય ત્યારે જીવલેણ હુમલા સામે ખાનગી બચાવનો હક્ક છે .


READ IPC 1860 CHAPTER 3 CLICK HERE

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ