(૧૨) ખુશ કે ના ખુશ ?
એકવાર અકબર બાદશાહે
બીરબલના હાજર જવાબી પણાની પરીક્ષા લેવા પૂછયું - “બીરબલ, એક વાત જણાવ કે - રમજાન
ખુશ થઈને જાય છે કે નાખુશ ?” બીરબલે જવાબ આપ્યો - ખુશ થઈ ને.' બાદશાહે પૂછયું -
“કઈ રીતે ?'
બીરબલ બોલ્યો - “ગરીબ
પરવર જો "ખુશ થઈને ન જતો હોય તો બોલાવ્યા વગર દર વર્ષે આવે શા માટે ?' બાદશાહ
બીરબલના આ જવાબથી અતિ ખુશ થયા.
READ
0 ટિપ્પણીઓ
Please do not share links in comment