( ૮ ) બાદશાહનો બકરો
ઈદના દિવસે એક માણસે
બાદશાહને એક બકરો ભેટ આપેલો . બકરાને જોઈને બાદશાહે એકવાર દરબારમાં જાહેર કર્યું
કે જે કોઈ માણસ આ બકરાને પેટ ભરાવીને ચરાવી લાવી તૃપ્ત કરશે તો પર્ણ પણે એને હજાર
સોનામહોરનું ઈનામ મળશે પણશરત એટલી કે બકરો પૂર્ણ ધરાઈ જવો જોઈએ .
પછી એની સામે ગમે તેટલું ઘાસ નાખીએ તો પણ એ ખાવો
ન જોઈએ . જો બકરો ખાશે તો ઈનામના બદલે મોતની સજા મળશે . દરબારીઓ તો મુંઝાઈ ગયા .
બકરાની જાત જ ખાઉધરી હોય છે , એ બધા જાણતા હતા .
એને ગમે તેટલું ખવડાવો
તોય એ મોઢું માર્યા વગર ન રહે . આમાં તો હાથે કરીને જીવ ખોવા જેવું હતું . એટલે
કોઈ તૈયાર ન થયું . છેલ્લે બાદશાહે બીરબલ સામે જોઈને કહ્યું - ‘ બીરબલ ઈનામ
મેળવવાની ઈચ્છા છે ? '
‘ જહાંપનાહ .... ’
બીરબલ બોલ્યો - ' બકરાને ધરાઈને ખવડાવે એટલું ઘાસ લાવવાનો ખર્ચ જો તમે આપો તો
અવશ્ય હું બકરાને પૂર્ણ તૃપ્ત કરી દઉ , લગભગ દશેક હજારનો ખર્ચ થાય .... બાદશાહે
ખર્ચ આપ્યો અને ફરીવાર શરતની યાદ અપાવી .
બીરબલે તો હસીને કહ્યું - ‘ બેફિકર રહો નામદાર ,
બકરાને એવો ધરાવીને લાવીશ કે ઘાસ સામે નજર નહીં કરે ..... બીરબલ તો બકરાને લઈને
ઘેર ગયો . એના મિત્રો ચિંતા કરવા લાગ્યા કે હવે નક્કી બીરબલનું આવી બન્યું .
બીરબલે અશક્ય કામ કરી બતાવવાનું બીડું ઝડપ્યું હતું .
બીરબલે બકરા સામે ઘાસ
નાખ્યું અને જ્યાં બકરો ઘાસ ખાવા ગયો ત્યાં મોઢા પર જોરથી લાકડી ફટકારી . આમ બકરાએ
જેટલી વાર ઘાસ ખાવાનો પ્રયત્ન કર્યો એટલીવાર લાકડીના ફટકા મોઢા પર પડયા . આખરે
બકરાને લાગ્યું કે ઘાસમાં મુખ નાખીશ તો લાકડી પડશે .
પાંચમા દિવસે બીરબલ
બકરાને લઈને બાદશાહ પાસે ગયો . એણે બકરાને ઘાસનું એક તણખલું પણ ખવડાવ્યું ન હતું
છતાં એ બોલ્યો- ‘ બાદશાહ સલામત ! મેં આ બકરાને રૂપિયા દશ હજારનું ઘાસ ખવડાવી દીધું છે . હવે આ બકરો ધરાઈ ગયો છે .
હવે એ ઘાસમાં મોઢું પણ નહીં નાખે . તમે તમારે
ખાત્રી કરી ' લો . ’ ’ ‘ બાદશાહે બકરા સામે ઘાસનો ઢગલો કરાવ્યો પણ બકરાએ ઘાસ
ખાવાની વાત તો દૂર રહી , ઘાસ સામે નજર પણ ન કરી .
એના મનમાં ઠસી ગયું હતું
કે જો હું ઘાસ ખાવા જઈશ તો માર પડશે . ’ આમ બીરબલ પોતાની બુદ્ધિથી ઈનામ જીતી ગયો .
( સાર : - આપણું મન પણ આ
બકરા જેવું છે , અહંતા અને મમતાથી ભરેલું છે . મન વિષયભોગ માગે ત્યારે મનને
વિવેકરૂપી લાકડી મારશો તો જ એ વશ થશે . )
READ
0 ટિપ્પણીઓ
Please do not share links in comment