(૩૫) કોણ પ્રિય
અકબર બાદશાહને બે બેગમ
હતી. બંને આખો દિવસ ઝગડતી રહેતી અને પોતે બાદશાહને વધુ પ્રિય છે એવું સાબીત કરવા
માટે એક બીજીને આખો દિવસ ભાંડયા કરતી. બાદશાહે કંટાળીને બીરબલને કહ્યું - “બીરબલ,
તું મારી બંને બેગમને ઝગડતી બંધ કરે તો હું માનું તારી બુદ્ધિને....'
કરી દઉ.... એમાં શું?'
કહીને બીરબલે બે ભુરા મણકા લીધા અને ગયો જનાનખાનામાં. પહેલા એક બેગમને મળ્યો. એક
ભુરો મણકો આપતા કહ્યું “બાદશાહે આ મણકો ખાસ તમારા માટે અજમેરથી મંગાવ્યો છે. જ્યાં
સુધી મણકો તમારી પાસે હશે ત્યાં સુધી બાદશાહ તમને જ વધુ પ્રેમ કરશે. પણ આ વાત
કોઈને કહી તો આ મણકાનો પ્રભાવ સમાપ્ત થઈ જશે.”
બેગમ તો આનંદમાં આવી ગઈ.
ત્યારબાદ બીરબલ બીજી બેગમ
પાસે ગયો એને પણ એવો જ મણકો આપ્યો અને એ જ વાત કહી.
ત્યારબાદ બાદશાહ પાસે
આવીને કહ્યું - “જહાંપનાહ, હવે જ્યારે પણ એ બંને પોતાની જાતને શ્રેષ્ઠ સિદ્ધ કરવા
માટે તમને પૂછે કે અમારામાંથી કોણ તમને વધુ પ્રિય છે? તો તમારે કહેવાનું કે જેની
પાસે ભુરો મણકો છે એ વધુ પ્રિય છે.
અને ખરેખર ત્યારબાદ બંને
બેગમો લડતી બંધ થઈ ગઈ.
READ (૩૪) હાજર જવાબ
0 ટિપ્પણીઓ
Please do not share links in comment