(૩૦) બુદ્ધિનું બળ
એકવાર બાદશાહ અને બીરબલ
જંગલમાં શિકાર કરવા ગયા. બપોર સુધી રખડયા પણ કોઈ શિકાર ન મળ્યો અને ભુખ એવી લાગી
કે વાત ન પૂછો. ભુખના કારણે બેહાલ થઈ ગયા. ત્યાંજ એક ગામ આવ્યું. જયાં ગામમાં
પ્રવેશ્યા ત્યાંજ સામેથી એક નનામી આવતી દેખાઈ એટલે બાદશાહ નિરાશ થઈ ગયા - “આ
ગામમાં કોઈ મરી ગયું લાગે છે. હવે અહીં ક્યાંથી ખાવા મળશે? હા... તારી બુદ્ધિ ચાલે
તો કાંઈક ઉપાય કર, કકડીને ભુખ લાગી છે.'
બીરબલ તો તરત બંને હાથ
ઉચા કરીને ગામ લોકોને ઉભા રાખ્યા પછી કહ્યું - “જો કોઈ અમને બંને પેટ ભરીને ખવડાવે
તો હું મારી વિદ્યાથી મરેલા માણસને જીવતો કરી દઉં.”
તરત જ મરનારના સગા વહાલા
દોડીને ખાવાનું લઈ આવ્યા. બાદશાહે અને બીરબલે પેટ ભરીને ખાધું પછી બીરબલ બોલ્યો -
“હવે હું મરનારને જીવતો કરૂં . એનો ધંધો શું હતો એ જણાવો.’ ‘એ મુખી હતો. કોઈક બોલ્યું.
બીરબલ ગુસ્સાથી બોલ્યો -
‘પહેલા કેમ ન જણાવ્યું. મુખી મરી ગયા પછી જીવતા જ ન થાય. નાહક મારો સમય
બગાડયો....” બાદશાહ તો હસી પડયો.
READ (૨૯) યોગ્ય સલાહ CLICK HERE
0 ટિપ્પણીઓ
Please do not share links in comment