(૩૨) કેટલું અંતર ?
એકવાર બાદશાહનો સાળો દિલ્હી આવ્યો. એ ઘણો જ ક્રોધી અને કર હતો, બીરબલે એકવાર
એને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. એટલે એ બાદશાહના સાળા પાસે જઈને બેઠો.
બાદશાહના અભિમાની સાળાએ બીરબલને પોતાની આટલો નજીક બેઠેલો જોયો તો ક્રોધીત થઈને
ધૃણાથી પૂછયું - “એ, તું કોણ છે ? તારામાં અને ગધેડામાં કેટલું અંતર છે કે મારી
આટલી નજીક આવીને બેસી ગયો ?' બીરબલે ઝડપથી પોતાનું અંતર કાપીને કહ્યું - “જી એક
હાથ.”
અને આખો દરબાર હસી પડયો.
read (૩૧) બેવકૂફ આવારા click here
0 ટિપ્પણીઓ
Please do not share links in comment