એવિડન્સ એક્ટ,1872 Evidence Act ,1872(ભારતીય પુરાવાનો ધારો, 1872)
કુલ :- પ્રકરણ 11
કુલ :- કલમો 167
અમલ :- 1 સપ્ટેમ્બર, 1872
ઘડાયો :- 15 માર્ચ, 1872
પ્રણેતા :- સર
જેમ્સફિત્ઝજેમ્સસ્ટિફન
ભાગ-2 સાબિતી વિશેપ્રકરણ 3
કઈ હકીકતો સાબિત કરવાની જરૂર નથી ? (કલમ 56 થી 58)
EA ARTICLE 56.
-ન્યાયાલયે જેની ન્યાયિકનોટિસ લે એવી કોઈ હકીકત
સાબિત કરવાની જરૂર નથી.અહીંન્યાયિક નોટિસ લેવી એટલે, જે બાબત અંગે સાબિતીનો કોઈ પુરાવો આપવાની જરૂર ન હોય જે
હકીકત સ્પષ્ટ અને દેખીતી છે.
EA ARTICLE 57.
જેનીન્યાયાલયેન્યાયિક
નોટિસ લેવી જોઈશે તેવી હકીકતો :
- ભારતીય રાજ્યક્ષેત્રમાંઅમલમાં હોય તેવા તમામ
કાયદાઓ.
- UK પાર્લામેન્ટપસાર કરેલા કે હવે પછી તે પસાર કરે
તે તમામ જાહેર અધિનિયમો અને UKની જેની ન્યાયિક નોટિસો. લેવાનો આદેશ
કર્યો હોય તેવા તમામ સ્થાનિક અને વ્યક્તિગત અધિનિયમો.
- ભારતનાંભૂમિ, નૌકા અને હવાઈ એમ
ત્રણેય દળોનાયુદ્ધનાનિયમો.
- UK પાર્લમેન્ટની, ભારતની સંવિધાનની
સભાની, સંસદની અને તે સમયે અમલમાં હોય તેવા કાયદા હેઠળ
કોઈ પ્રાંતમાં, રાજ્યમાં કે સ્થાપેલાં વિધાનમંડળોનીકાર્યવાહીનો
ક્રમ
-ગ્રેટ બ્રિટનઅને આયર્લેન્ડના સંયુક્ત રાજ્યના
તે સમયના સમ્રાટના રાજ્યારોહણ ” ઈંગ્લેન્ડમાંન્યાયાલયો
જેની ન્યાયિક નોટિસ તલ હોય તેવા તમામ સીલ, કેન્દ્ર સરકાર
અથવા તાજનાપ્રતિનિધિનાઅધિકારથીસ્થપાયેલાં ભારતમાં વય અને ભારત બહારનાં તમામ
ન્યાયાલયોનાં સીલ, એડમિરટી અને દરિયાઈ હકૂમતનાન્યાયાલયની અસર ની
સીલ અને સંવિધાનની અથવા UKની પાર્લામેન્ટનાઅધિનિયમથી અથવા ભારતમાં કાયદાનો અભાવ
ધરાવતા અધિનિયમ કે રેગ્યુલેશનથી કોઈ વ્યક્તિને જેનો ઉપયોગ કરવાનો અધિકાર આપવામાં
આવ્યોહોય, તેવાં તમામ સીલ.
- ભારત સરકારે માન્ય કરેલાં દરેક રાજ્ય અથવા
સમ્રાટના અસ્તિત્વ, સંજ્ઞા અને રાષ્ટ્રધ્વજ
-કોઈ રાજ્યમાં તે
સમયે જાહેર હોદા પર હોય એ વ્યક્તિઓની તે હોદ્દા ઉપરની નિમણૂક અધિકાર આપવામાં આવ્યો
હોય, તેવા તમામ સીલ ,
- કોઈ રાજ્યમાં તે સમયે જાહેર હોદ્દા પર હોય એ
વ્યક્તિઓની તે હોદ્દા ઉપરની નિમણૂક અને હોદ્દો સંભાળ્યાની હકીકત, તેમનાં નામો, ખિતાબો, તેમણે કરેલાં કાર્યો અને તેમના હસ્તાક્ષરો
- સમયના ભાગ, પૃથ્વીના ભૌગોલિક વિભાગો, અને રાજપત્ર (ગેઝેટ)માં જાહેર કરેલા જાહેર તહેવારો તથા વ્રત અને
રજાઓ.
- ભારત સરકારના
આધિપત્ય હેઠળનાંરાજ્યક્ષેત્રો
-ભારત સરકાર અને
બીજા રાજ્ય કે લોકો વચ્ચે લડાઈ કે યુદ્ધનો પ્રારંભ તેનું ચાલુ હોવું અને તેનો અંત
-ન્યાયાલયના સભ્યો
અને અધિકારીઓ અને તેમના નાયબ અને તાબાના અધિકારીઓ અને મદદનીશોના, તેમજ ન્યાયાલયના કામગીરી હુકમનો અમલ કરનારા તમામ અધિકારીઓના
અને તમામ એડવોકેટો, એટર્નીઓ, મોક્ટરો વકીલો, પ્લીડરો અને ન્યાયાલય સમક્ષ ઉપસ્થિત રહેવા કે કામકાજ કરવા
કાયદાથી અધિકૃત અન્ય વ્યક્તિઓનાંનામ :
- જમીન ઉપરના અથવા સમુદ્રમાર્ગ માટેના નિયમો,આ તમામ બાબતોમાં તેમજ પ્રજાનો ઇતિહાસ, સાહિત્ય, વિજ્ઞાન કે કળાની તમામ બાબતોમાં, ન્યાયાલય યોગ્ય
સંદર્ભ ગ્રંથો અથવા દસ્તાવેજોની મદદ લેશે.આ ઉપરાંત દેશમાં સમયાંતરેથયેલાં કોમી-રમખાણો, ગેઝેટેડ
અધિકારીની સહી, આર્થિક તેજી-મંદી, જર્નલ તથા. પુસ્તકો, કાયદાનાઅમેન્ડમેન્ટસ, રાજકીય ચળવળો, મ્યુનિસિપલકાયદાઓ, સરકારી
માર્ગદર્શિકાઓ, ઐતિહાસિક હકીકતો, હડતાળ, ડિક્ષનરી, જમીનની કિંમતો, વધતી કિંમતો, ભારત સાથે
જોડવામાં આવતા પ્રદેશો, નવા હોદ્દાઓ, સંસદની કાર્યવાહી, અદાલતોનાચુકાદા, વગેરેની ન્યાયિક
નોટિસ લેવાની રહેશે.
EA ARTICLE 58.
-સ્વીકારાયેલી હકીકતો સાબિત કરવાની જરૂર નથી, પરંતુ અદાલતે સ્વીકારેલીહકીકતોને એવી સ્વીકૃતિઓ સિવાયની
રીતે સાબિત કરવાનું પોતાની વિવેકબુદ્ધિ અનુસાર ફરમાવી શકે છે.
0 ટિપ્પણીઓ
Please do not share links in comment