(૪૪) કાંઇ ન બચે
એકવાર દરબાર ભરાયો હતો.
બાદશાહ અને બધા દરબારી હાજર હતા. બાદશાહના દિમાગમાં એક સવાલ સળવળી રહ્યો- હતો.
આખરે એમણે એક પછી એક દરબારીને પૂછવાનું શરૂ કરી દીધું - “સત્તાવીશમાંથી નવ ગયા તો
બાકી શું રહે ?
બધાએ એક જ જવાબ આપ્યો -
“અઢાર રહે.' પણ કોઈના જવાબથી બાદશાહને સંતોષ ન થયો. આખરે જ્યારે બીરબલ આવ્યો
ત્યારે બાદશાહે બીરબલને પણ એ જ સવાલ પૂછયો. બીરબલે તરત જવાબ આપ્યો “કાંઈ ન બચે.’
બીરબલના આ જવાબથી બધા
દરબારી ચકિત થઈ ગયા. એટલે બાદશાહ બોલ્યા- “તારો જવાબ સમજાયો નહીં બીરબલ.”
બીરબલે તત્કાળ એમને
સમજાવતાં કહ્યું - ‘જહાંપનાહ, આખા વર્ષમાં સત્તાવીસ નક્ષત્ર આવે છે. એમાં નવ
નક્ષત્ર વરસાદના છે. જો આ નવ નક્ષત્ર ચાલ્યા જાય તો બાકી કાંઈ ન બચે. કારણ કે આ નવ
નક્ષત્રોમાં વરસાદ થાય છે. અન્ન-જળ પણ એમનાથી જ પ્રાપ્ત થાય છે. સંસાર માટે આજ નવ
નક્ષત્ર ફળદાયક અને લાભ પ્રદ છે.
read (૪૩) અફસર
0 ટિપ્પણીઓ
Please do not share links in comment