(૪૯) સચ્ચાઈ અને જૂઠ
એક વખત બાદશાહ અને બીરબલ
સિદ્ધાંતોની વાત કરી રહ્યા હતા. એવામાં બાદશાહે પૂછ્યું - “સચ્ચાઈ અને જૂઠમાં
કેટલું અંતર ?'
બીરબલે જવાબ દીધો -
“જહાંપનાહ, આ બંને વચ્ચે આંખ અને કાન જેટલું અંતર છે.'
બાદશાહને વાત ન સમજાઈ
એટલે વિગતવાર સમજાવવા કહ્યું. તો બીરબલ બોલ્યો -“જહાંપનાહ સાંભળો, આંખોથી જોયેલી
વાત મોટા ભાગે સાચી હોય છે અને કાને સાંભળેલી વાત મોટા ભાગે ખોટી હોય છે.'
બાદશાહ આ જવાબથી સંતુષ્ટ
થઈ ગયા.
Read (૪૮) ઠંડી કેટલી ?
0 ટિપ્પણીઓ
Please do not share links in comment