ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973criminal procedure code 1973કુલ પ્રકરણ 37 કુલ કલમો 484અમલ 1 એપ્રિલ, 1974
પ્રકરણ12.
પોલીસને ગુનાની ખબર આપવા બાબત અને તે અંગે
પોલીસ તપાસ કરવાની તેમની સત્તા
(કલમ 154 થી 176)
CrPC
ARTICLE 154.
પોલીસ અધિકારનાકેસોમાં ખબર અંગે :
-પોલીસ અધિકારક્ષેત્રના કોઈ ગુના થવા અંગેની
દરેક ખબર જો કોઈ પોલીસ-સ્ટેશનના ઇનચાર્જઅધિકારીને મૌખિક રીતે આપવામાં
આવે તો તેણે તે લખવીજોઈશે અથવા પોતાની દેખરેખ હેઠળ લખાવી લેવાની રહેશે, ખબર આપનારને આ લખાણ વાંચી સંભળાવવાનું રહેશે. આ ખબર ઉપર ખબર આપનારની સહી લેવાની રહેશે અને આ માટે રાજ્ય
સરકારેનિર્દિષ્ટ કરેલ હોય તેવા નમૂનામાં તે અધિકારીએ પોતે રાખવાની ચોપડીમાં તે
અંગેનો સારાંશ નોંધી લેવાનો રહેશે.
-એવી જોગવાઈ કરવામાં આવેલ છે કે, જો આ પ્રકારની ખબર બળાત્કાર કે તેની કોશિશને લગતી હોય તો
તેનું લખાણ મહિલા પોલીસ અધિકારી નોંધશે.
- મહિલાઓ સંબંધિત ગુનાઓમાં દા.ત. કલમ 354 તથા તેની
પેટાકલમો અને બળાત્કાર અંગેની તમામ કલમ 376 અને પેટાકલમો. અને જો વ્યક્તિ માહિતી આપવા માટે માનસિક અથવા શારીરિક રીતે
સ્વસ્થ ન હોય તો તે વ્યક્તિ જણાવશે ત્યાં રેકર્ડ કરવાનું રહેશે. આમ, રેકર્ડ કરવાનું
સ્પેશિયલ એજ્યુકેટર અથવા ઇન્સ્ટીટરની હાજરીમાં જેમ કિસ્સો હશે તે પ્રકારનું હશે,
-આવી માહિતી કાગળ પર લેવામાં આવે તો તેની
વીડિયોગ્રાફી કરવાની રહેશે.
-આવી ખબરની એક નકલ ખબર આપનારનેવિનામૂલ્ય તરત
આપવાની રહેશે.
-154 (3) જો આ પ્રકારની ખબર નોંધવા માટે પોલીસ સ્ટેશનના
ઇનચાર્જઅધિકારીએ ના પાડી હોય તો તે વ્યક્તિ તે માહિતીનો સારાંશ લખીને તે વિસ્તારના
પોલીસ સુપરિન્ટેન્ડેન્ટને ટપાલ દ્વારા મોકલી શકશે અને જો તેઓને ખાતરી થાય છે કે આ
પોલીસ અધિકાર ક્ષેત્રનો ગુનો છે તો તેની તપાસ પોલીસ જાતે કરશે.
- આ F.I.R. - First Information Report પ્રથમ માહિતી અધિકારીની કલમ છે. પરંતુ આ પ્રકારના કોઈ શબ્દનો ઉપયોગ આ કલમમાં થયેલ નથી.
- આ F.I.R. એક જાહેર દસ્તાવેજ છે.
આ F.I.R. એક અગત્યનો દસ્તાવેજ છે.
CrPC
ARTICLE 155.
-પોલીસ અધિકારક્ષેત્રના બહારના કેસોની ખબર અને તેવા કેસોમાં પોલીસ તપાસ :
- જ્યારે કોઈ પોલીસ સ્ટેશનના ઇનચાર્જઅધિકારીને
પોતાની હદમાં પોલીસ અધિકાર બહારનો ગુનો બન્યાની ખબર આપવામાં આવે ત્યારે, તેણે રાજ્ય સરકારે નિર્દિષ્ટ કરેલ નમૂનામાં તેવા અધિકારીએ
રાખવાની હોય તેવી ચોપડીમાં તેનો સારાંશ નોંધવાનો રહેશે અને ખબર
આપનારનેમેજિસ્ટ્રેટની સમક્ષ મોકલવાના રહેશે.
-પોલીસ અધિકારણોનના બહારના કેસની ઇન્સફી
કાર્યવાહી કરવાની અથવા તેની ઇન્સાફી કાર્યવાહી માટે રોશન્સ કોર્ટમાં મોકલવાની
સત્તા ધરાવતાં મેજિસ્ટ્રેટના હુકમ વિના કોઈ પણ પોલીસ અધિકારી તેવા કેરાની પોલીસ
તપાસ કરી શકશે નહીં,
-જેને એવો આદેશ મળે તે પોલીસ અધિકારી, પોલીસ અધિકારનાકેરામાં પોલીસ તપારા અંગેની ઇનચાર્જઅધિકારીને
મળતી તમામ સત્તા વાપરી શકો,
-જ્યારે કોઈ કેસમાં બે કરતાં વધુ ગુના બનતા હોય
અને તે પૈકી ઓછામાં ઓછો એક ગુનો પોલીસ અધિકારક્ષેત્રનો હોય તો તે સમગ્ર કેસને
પોલીસ અધિકારક્ષેત્રનો (cognizable offece) ગણવો.
CrPC
ARTICLE 156.
પોલીસ અધિકારક્ષેત્રનાકેસોમાં તપાસ કરવાની
પોલીસ અધિકારીની સત્તા :
-પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સ્થાનિક વિસ્તારમાં
હકૂમત ધરાવતી કોઈને પ્રકરણ-13ની જોગવાઈઓ હેઠળ
જે પોલીસ અધિકાર ક્ષેત્રના કેસની તપાસ કે ઇન્સાફી કાર્યવાહી કરવાની રાત્તા હોય
તેની પોલીસ તપાસ, પોલીસ સ્ટેશનના ઇનચાર્જ અધિકારી મેજિસ્ટ્રેટના
આદેશ વગર કરી શકશે ,
-આવા કેસમાંની પોલીસ અધિકારીની કાર્યવાહી સામે, આ કલમ અનુરારપોલીરાતપારા કરવાની તેમને સત્તા ન હતી એ કારણસર
કોઈ પણ તબક્કે વાંધો ઉઠાવી શકાશે નહીં',
-કલમ 190 અનુસાર સત્તા
ધરાવતા કોઈ મેજિસ્ટ્રેટ ઉપરોક્ત જણાવ્યા મુજબની પોલીસ તપાસ કરવાનો હુકમ કરી શકે છે. :
CrPC
ARTICLE 157.
પોલીસ તપાસ અંગેની કાર્યરીતિ
-મળેલી ખબર/માહિતી પરથી અથવા
કલમ 156 હેઠળ પોલીસ ઇનચાર્જઅધિકારીને પોતે સત્તા ધરાવતો
હોય તેવો ગુનો થવાનો શક હોય તો પોલીસ રિપોર્ટ ઉપરથી તે ગુનાનીઇન્સાફી કાર્યવાહી
શરૂ કરવાની સત્તા ધરાવતાં મેજિસ્ટ્રેટને તે માહિતીનો રિપોર્ટ તુરંત મોકલવો જોઈશે
અને સંજોગોની પોલીસ તપાસ કરવા જરૂરી જણાય તો ગુનેગારને શોધી કાઢીને પકડવા પગલાં
માટે તે જગ્યાએ જાતે જવું જોઈશે અથવા રાજ્ય સરકાર, આ માટે સામાન્ય
કે ખાસ હુકમથી કરાવે તેથી નીચેના દરજ્જાના ન હોય તેવા પોતાની સત્તા નીચેના કોઈ
અધિકારીને મોકલવા જોઈશે.
- એમ પણ જોગવાઈ છે
કે, ગુનાના પ્રકારની માહિતી કોઈ વ્યક્તિની વિરુદ્ધ
નામ દઈને આપવામાં આવે તો જ તે કેસ ગંભીર પ્રકારનો ન હોય ત્યારે પોલીસ સ્ટેશનના
ઇનચાર્જઅધિકારીએ સ્થળ ઉપર પોલીસ તપાસ કરવા માટે જવાની કે પોતાની હેઠળના અધિકારીને
ત્યાં મોકલવાની જરૂર રહેશે નહીં.
-પોલીસ તપાસ શરૂ કરવા માટે પૂરતું કારણ નથી
તેવું પોલીસ સ્ટેશનના ઇનચાર્જઅધિકારીને લાગે તો આ પ્રકારના કેસની પોલીસ તપાસ કરશે
નહીં.
- બળાત્કારના અપરાધ
સંબંધમાં ભોગ બનનાર વ્યક્તિનું નિવેદન તેમના ઘરે અથવા તેમની પસંદગીના સ્થળે
લેવાનું રહેશે અને શક્ય હોય ત્યાં ભોગ બનનારનાંમાતાપિતાની અથવા નજીકનાંસગાંની
હાજરીમાં અથવા તે વિસ્તારના સામાજિક કાર્યકરની હાજરીમાં મહિલા અધિકારી દ્વારા
લેવાશે.
CrPC
ARTICLE 158.
રિપોર્ટ કઈ રીતે મોકલવો :
-
રાજ્યસરકારઆદેશઆપેતો, કલમ 157 અનુસારમેજિસ્ટ્રેટનેમોકલવાનોદરેકરિપોર્ટરાજ્યસરકારસામાન્યકેખાસહુકમથી, માટેનીમેતેવાઉપલાદરજ્જાનાપોલીસઅધિકારીદ્વારામોકલવાનોરહેશે.
-
આવાઉપલાદરજ્જાનાઅધિકારીપોતાનેયોગ્યલાગેતેવીસૂચનાપોલીસસ્ટેશનનાઇનચાર્જઅધિકારીનેઆપીશકશેઅનેતેરિપોર્ટપરથીએવીસૂચનાનીલેખિતનોંધકરીનેવગરવિલંબેમેજિસ્ટ્રેટનેમોકલીઆપશે.
CrPC
ARTICLE 159.
પોલીસ તપાસ અથવા પ્રારંભિક તપાસ કરવાની સત્તા :
-મેજિસ્ટ્રેટને એવો રિપોર્ટ મળે ત્યારે પોલીસ
તપાસ કરવાનો આપી શકશે અથવા પોતાને યોગ્ય જણાય તો તુરંત આ અધિનિયમમાંજણાવેલી રીતે
તે કેસની પ્રારંભિક તપાસ કરવાની અથવા અન્ય રીતે તેનો નિકાલ કરવાની કાર્યવાહી હાથ
ધરી શકશે કે કોઈ મેજિસ્ટ્રેટને તેવું કરવાની પોતાની સત્તા સોંપી શકશે.
CrPC
ARTICLE 160.
સાક્ષીઓને હાજર રહેવા ફરમાવવાની પોલીસ અધિકારીની સત્તા બાબત :
-આ પ્રકરણ અનુસાર પોલીસ તપાસ કરતા પોલીસ અધિકારી
પોતાની હદમાં હોય તે તથા મળેલ માહિતી કે કેસની કોઈ અન્ય હકીકતથી વાકેફ હોવાનું
જણાય તેવી તમામ વ્યક્તિઓને લેખિત હુકમથી પોતાની સમક્ષ હાજર થવા ફરમાવી શકશે અને એ
રીતે ફરમાવ્યા મુજબ વ્યક્તિએ હાજર રહેવાનું રહેશે.
-પરંતુ 15 વર્ષથી નાની
ઉંમરની અથવા 65 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ અથવા કોઈ સ્ત્રી
અથવા કોઈ શારીરિક અથવા માનસિક રીતે અશક્ત બનેલી વ્યક્તિને, આવી વ્યક્તિ
જણાવે તે સ્થળ સિવાય અન્ય કોઈ સ્થળે હાજર થવાનું ફરમાન કરી શકશે નહીં.
-સાર : ઉપરોક્ત જણાવેલ
વ્યક્તિઓને પોલીસ સ્ટેશનમાં સાક્ષી આપવા માટે બોલાવી શકાશે નહીં.
CrPC ARTICLE 161.
પોલીસે સાક્ષીઓની જુબાની લેવા અંગે :
-આ પ્રકરણ હેઠળ પોલીસ તપાસ કરનાર પોલીસ અધિકારી
કેસની હકીકત અને સંજોગોથી જે વ્યક્તિ માહિતગાર હોવાનું માનવામાં આવતું હોય તે
વ્યક્તિની મૌખિક જુબાની લઈ શકે છે.
-કેસ અંગે જે પ્રશ્નોના જવાબ આપવાથી પોતાની ઉપર
કોઈ ફોજદારી તહોમત આવી પડશે અથવા પોતે કોઈ દંડ કે જપ્તીને પાત્ર બનશે તેમ હોય તો
તે પ્રશ્ન સિવાયના, પોલીસ અધિકારી પૂછે તે તમામ સવાલોના સાચા જવાબ
આપવા તે વ્યક્તિ બંધાયેલ છે. અને જો વ્યક્તિ
જવાબ ન આપે તો તેની ઉપર ઈ. પિ. કો. 179 અનુસાર કાર્યવાહી
થશે.
- વ્યક્તિના કથનને પોલીસ અધિકારી લખી લેશે.
-આ કલમ હેઠળ કરવામાં આવેલું નિવેદન ઓડિયો-વીડિયો જેવાં ઇલેક્ટ્રોનિકમાધ્યમો દ્વારા પણ નોંધી શકાશે.
- સ્ત્રીઓ સંબંધિત ગુનાઓ તથા બળાત્કાર જેવા
ગુનાઓમાં સ્ત્રીનું નિવેદન મહિલા પોલીસ અધિકારી નોંધશે.
CrPC ARTICLE 162.
પોલીસ સમક્ષ કરેલાં કથનો ઉપર સહી/હસ્તાક્ષર નહીં લેવા અંગે તથા તેનો પુરાવા તરીકે ઉપયોગ બાબતે :
-આવી પોલીસ તપાસ દરમિયાન પોલીસ અધિકારી સમક્ષ
કોઈ વ્યક્તિએ કરેલ કથન પર તેની સહી લેવામાં આવશે. નહીં. આ ઉપરાંત પોલીસ ડાયરીમાંનું કે અન્ય કોઈ કથન કે તેના લેખિત
હસ્તાક્ષર લેવામાં આવશે નહીં તેમ જ પોલીસ ડાયરીમાંનું કોઈ અન્ય કથન કે તેની લેખિત
નોંધ અથવા તેનો કોઈ ભાગ તપાસ સિવાય કોઈ પણ હેતુ માટે ઉપયોગમાં લઈ શકાશે નહીં.
- આ કથનને કોર્ટમાં યોગ્ય પુરાવા તરીકે રજૂ કરી
શકાય નહીં.
CrPC
ARTICLE 163
કોઈ પણ પ્રલોભન ન બતાવવા કે આપવા અંગે :
-કોઈ પોલીસ અધિકાર કે જુબાની લેનાર સક્ષમ
અધિકારી ભારતીય પુરાવા અધિનિયમ, 1872' પ્રમાણેનું કોઈ
પ્રલોભન, ધમકી, લાલચ કે વચન આપી
કે અપાવી શકશે નહીં.
-પરંતુ આ પ્રકરણ હેઠળની કોઈ પોલીસ તપાસ દરમિયાન
જો કોઈ વ્યક્તિ પોતાની રાજીખુશીથી પોતે કથન કરે તો તેને કોઈ પણ ચેતવણી આપીને કે
અન્ય કોઈ પણ રીતે રોકી શકાશે નહીં.
CrPC
ARTICLE 164.
કબૂલાતો અને કથનોનોંધવાં અંગે:
-કોઈ પણ મેટ્રોપોલિટન કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ
એની તે કેસમાં હકૂમત હોય કે ન હોય તો પણ ફોજદારી કેસની પોલીસ તપાસ દરમિયાન અથવા
ત્યાર પછી તપાસ કે ઇન્સાફી કાર્યવાહી શરૂ કરવામાં આવે તે પહેલાં કોઈ પણ સમયે
પોતાની સમક્ષ કરવામાં આવેલ કબૂલાત કે કથનની નોંધ કરી શકશે.
- વધુમાં જોગવાઈ છે કે, આ પેટાકલમ અનુસાર
કરેલ કોઈ પણ કબૂલાત કે નિવેદન ઓડિયો-વીડિયો ઇલેક્ટ્રોનિકસાધનોનીગુનાની આરોપી
વ્યક્તિના ધારાશાસ્ત્રી (વકીલ)ની હાજરીમાં નોંધી શકશે.
- તત્કાલીન પ્રવર્તમાન કોઈ કાયદા હેઠળ જે પોલીસ
અધિકારીનેમેજિસ્ટ્રેટનીસત્તાઓ આપવામાં આવી છે તેનાથી કોઈ પણ કબૂલાતની નોંધણી થઈ
શકશે નહીં.
-આવી કબૂલાતની લેખિત નોંધ કરતા પૂર્વે તે કરનાર
વ્યક્તિને મેજિસ્ટ્રેટે સમજાવવું જોઈશે કે, તે એવી કબૂલાત
કરવા માટે બંધાયેલ નથી અને જો તે તેમ કરશે તો તે તેની સમક્ષ પુરાવા તરીકે ઉપયોગમાં
લઈ શકાશે.
-કબૂલાતની નોંધ કરવામાં આવે તે પહેલાં કોઈ પણ
સમયે, મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થનાર વ્યક્તિ જણાવે કે, તે પોતેકબૂલાત કરવા માટે રાજી નથી તો મેજિસ્ટ્રેટ તે
વ્યક્તિને પોલીસ કસ્ટડીમાં અટકાયતમાં રાખવાની છૂટ આપશે નહીં.
- આવી કબૂલાત આરોપીની જુબાની નોંધવા કલમ 281 માં જણાવ્યા મુજબ નોંધવાની રહેશે અને કબૂલાત કરનાર વ્યક્તિએ
તેમાં હસ્તાક્ષર કરવાના રહે છે.
-સ્ત્રીઓને લગતા અપરાધો જેવા કે, 354 પેટાકલમો, 376 પેટાકલમો, 509 વગેરેનું નિવેદન ગુનો બન્યાની ખબર તેને આપવામાં આવે કે, તુરંત નોંધવામાં આવશે. આમ, કામચલાઉ કાયમી નિવેદન આપનાર વ્યક્તિ જો કાયમી અથવા ટૂંકા
સમય માટે શારીરિક કે માનસિક રીતે અશક્ત હોય તો આ માટે મેજિસ્ટ્રેટ દુભાષિયાની અથવા
ખાસ એજ્યુકેટરની મદદ લેશે અને નિવેદનની વીડિયોગ્રાફી કરવાની રહેશે.
-આ કલમ અનુસાર કથન કે કબૂલાત નોંધનાર
મેજિસ્ટ્રેટ જેણે તે કેસમાં તપાસ કે ઇન્સાફી કાર્યવાહી કરવાની હોય તે
મેજિસ્ટ્રેટને તે મોકલી આપશે.
CrPC164-A.
બળાત્કારનો ભોગ બનેલ સ્ત્રીની તબીબી અધિકારી દ્વારા તપાસ અંગે :
- જ્યારે બળાત્કાર અથવા બળાત્કારના પ્રયત્નનો
ગુનો બન્યાની અન્વેષણ પ્રક્રિયા ચાલુ હોય તેવા તબક્કે તેવી સ્ત્રી કે જેની ઉપર
બળાત્કાર થયો હોય અથવા તે માટે પ્રયત્ન થયો હોય, તેની તબીબી
નિષ્ણાત અધિકારી પાસે તપાસ કરાવવી જરૂરી છે. આવી તપાસ સરકારની
સંસ્થાના નોંધાયેલા મેડિકલ પ્રેક્ટિશનર અને તે હાજર ન હોય ત્યારે કોઈ પણ નોંધાયેલા
મેડિકલ પ્રેક્ટિશનર આવી તપાસ કરી શકશે, આવી તપાસ માટે
સ્ત્રીની સંમતિ જરૂરી છે અને જો સ્ત્રી આ સંદર્ભે સંમતિ આપવા અસમર્થ હોય તો તેના
કાયદેસરનાવાલીનીસંમતિથી આવી તપાસ કરવાની રહેશે.
-આવી સ્ત્રીને ગુનો બન્યાની માહિતી મળ્યાના 24 કલાકમાં નોંધાયેલા મેડિકલ પ્રેક્ટિશનર સમક્ષ મોકલવી જોઈએ.
- નોંધાયેલા મેડિકલ પ્રેક્ટિશનરે વિલંબ કર્યા
સિવાય તેણીની તપાસ કરી રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે, જે રિપોર્ટમાં....
(1) સ્ત્રીનું નામ, સરનામું, તેણીનેલાવનારનું નામ અને સરનામું
(2) સ્ત્રીની ઉંમર
(૩) સ્ત્રીનો DNA
પ્રોફાઇલ મેળવવાના હેતુસર
લેવાયેલપદાર્થોનુંવર્ણના
(4) સ્ત્રીને થયેલ ઈજાનાં નિશાનો
(5) સ્ત્રીની સામાન્ય માનસિક પરિસ્થિતિ
(6) અન્ય મટીરિયલચોક્સપણે કે, જે વિગત વાર
યોગ્ય રીતે દર્શાવેલ હોય.
-અહેવાલમાં દરેક તારણ પર આવવા માટેનું ચોક્કસ
કારણ દર્શાવવું જોઈએ.
- આ પરીક્ષણ શરૂ કર્યાનો સમય, પરીક્ષણનો સમય તથા પરીક્ષણ પૂર્ણ થયાનો સમય નોંધવાનો રહેશે.
CrPC
ARTICLE 165.
પોલીસ અધિકારીએ ઝડતી લેવા અંગે :
-
પોલીસસ્ટેશનનાઇનચાર્જઅધિકારીકેપોલીસતપાસકરતાકોઈપોલીસઅધિકારીનેએમમાનવાનેવાજબીકારણહોયછે, જેનીપોલીસતપાસકરવામાટેપોતાનેયોગ્યસત્તાઅનેઅધિકારછેતેવા ગુનાની પોલીસ તપાસ માટે જરૂરી વસ્તુ પોતાની
હદમાંથી મળી આવશે તેવી સંભાવના હોય ત્યારે કારણોની લેખિત નોંધ કરીને કોઈ પણ
જગ્યાની તે વસ્તુ માટે ઝડતી લઈ શકશે અથવા પોતે ઝડતી લઈ શકે તેમ ન હોય અને ઝડતી લઈ
શકે તે અન્ય કોઈ વ્યક્તિ તે સમયે હાજર ન હોય, તો તેમ કરવાના
પોતાનાં કારણોની લેખિત નોંધ કરીને એ પોતાની સત્તા નીચેના કોઈ અધિકારીને ઝડતી. લેવાનું જણાવી શકશે.
CrPC
ARTICLE 166.
પોલીસ સ્ટેશનના ઇનચાર્જ અધિકારી બીજા પાસે ઝડતી માટેનું વોરંટ કાઢવાની માગણી ક્યારે કરી શકે :
-કોઈ પોલીસ સ્ટેશનના ઇનચાર્જ અધિકારી અથવા પોલીસ
સબ-ઇન્સ્પેક્ટરથી નીચલા દરજ્જાના ન હોય તેવા પોલીસ
અધિકારી, જે કેસમાં પોતે પોતાની હદમાં ઝડતી લેવડાવી શકે
તેમ હોય તે જ કેસમાં જિલ્લાના કે જુદા જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશનના ઇનચાર્જ
અધિકારી પાસે કોઈ પણ જગ્યાએ ઝડતી લેવડાવવા માગણી કરી શકે છે.
CrPC
ARTICLE 166-A.
ભારતની બહારના દેશોમાં અને દેશમાં તપાસ અંગે
સક્ષમ સત્તાને વિનંતી પત્ર લખવા અંગે :
-જો કોઈ ગુનાના અન્વેષણ દરમિયાન તપાસ અધિકારી
અથવા તેમના ઉપરી અધિકારી મારફ્લે એવી અરજી કરવામાં આવે કે, પુરાવા
વિદેશમાંથી મળી શકે તેમ છે ત્યારે કોઈ પણ ફોજદારી કોર્ટ તે દેશની યોગ્ય હકૂમત
ધરાવતી કોર્ટને વિનંતીપત્ર મોકલી ગુના અંગે માહિતી ધરાવનાર વ્યક્તિની મૌખિક તપાસ
કરી શકશે. તેનું બયાન તપાસ દરમિયાન નોંધ કરવા, કેસને લગતા દસ્તાવેજો રજૂ કરવા અંગેની માહિતી મોકલી આપવા
વિનંતીપત્રમોકલશે.
CrPC
ARTICLE 166-B.
ભારત બહારના પ્રદેશની કોર્ટ અથવા તપાસ અંગેની સત્તા તરફથી વિનંતીપત્ર બાબત :
- ભારતની બહાર વિનંતીપત્ર મોકલવા સક્ષમ તેવી
અદાલત કે તપાસ સંસ્થાનો તેમના દેશની અંદર બનેલ કોઈ ગુનાઅંગે કોઈ વ્યક્તિની તપાસ
કરવા અથવા તે દેશના ગુનાને લગતા કોઈ દસ્તાવેજ કે વસ્તુ કબજે કરવા વિનંતીપત્ર
મોકલેત્યારે મધ્યસ્થ સરકારને યોગ્ય લાગે તો
(a) તે વિનંતીપત્ર ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કે
ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને અથવા આ માટે નિયુક્ત કરવામાં આવેલ મેટ્રોપોલિટન
મેજિસ્ટ્રેટ કે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મોકલી આપશે અને ત્યારબાદ તે
મેજિસ્ટ્રેટ તેવી વ્યક્તિ કે તેને રજૂ કરવાના કોઈ દસ્તાવેજને રજૂ કરવાનું ફરમાવશે.
(b) તે વિનંતીપત્ર
પોલીસ અધિકારીને તપાસ માટે મોકલી આપશે અને તે ગુનો ભારતમાં બનેલ છે તે રીતે તપાસ
કરશે.
CrPC
ARTICLE 167.
24 કલાકમાં પોલીસ તપાસ પૂર્ણ ન થઈ શકે ત્યારે
અનુસરવાની કાર્યવાહી :
(1) જ્યારે કોઈ વ્યક્તિની ધરપકડ કરીને તેને પોલીસ
કસ્ટડીમાં રાખવામાં આવે અને એમ લાગે કે, કલમ 57 પ્રમાણે નક્કી કરેલ 24 કલાકમાં પોલીસ
તપાસ પૂર્ણ થઈ શકે તેમ નથી અને માહિતી જો વજૂદવાળી છે તેવું માનવાના કારણ હોય, તો પોલીસ સ્ટેશનના ઇનચાર્જ અધિકારી અથવા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર કરતાં નીચલા દરજ્જાના ન હોય તે પોલીસ અધિકારીએ
આ અધિનિયમમાંઠરાવેલીડાયરીમાં કેસ સંબંધી કરેલી નોંધોની એક નકલ સૌથી નજીકના
જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને મોકલી તથા આરોપીનેમેજિસ્ટ્રેટની તરફ મોકલવાનો રહેશે.
(2) જેની તરફ આરોપીને મોકલવામાં આવ્યો છે તે
મેજિસ્ટ્રેટ, તે કેસની ઇન્સાફી કાર્યવાહી કરવાની હકૂમત હોય
કે ન હોય, તો પણ આરોપીને વધુમાં વધુ 15 દિવસ સુધી પોતાને યોગ્ય લાગે તેવી કસ્ટડીમાં મોકલવાનો આદેશ
કરી શકે છે.
પરંતુ,
(A) તેમ કરવા માટે
પૂરતાં કારણ છે એવી મેજિસ્ટ્રેટને ખાતરી થાય તો તે 15 દિવસની મુદતી
ઉપરાંત મુદતા માટે આરોપીને પોલીસ કસ્ટડી સિવાય અટકાયતમાં રાખવાનો અધિકાર આપી શકશે, પરંતુ કોઈ પણ મેજિસ્ટ્રેટ
(1) મૃત્યુદંડની, આજીવનની અથવા 10 વર્ષ કરતાં ઓછી ન હોય તેટલી મુદતની કેસની સજાને પાત્ર હોય
તેવા ગુનાને લગતી તપાસ હોય ત્યારે 120 દિવસથી
(2) બીજા કોઈ પણ ગુનાને લગતી તપાસ હોય ત્યારે 60 દિવસથી વધુ હોય તેવી 30 મુદત માટે આ કલમ
હેઠળ આરોપીને કસ્ટડીમાં અટકાયતમાં રાખવાનો અધિકાર આપી શકશે નહીં અને , 120 દિવસની અથવા 60 દિવસની મુદત પૂરી
થયે, આરોપી જામીન આપવા તૈયાર હોય અને આપે, તો તેને જામીન ઉપર છોડવામાં આવશે અને આ કલમ હેઠળ જામીન ઉપર
છોડવામાં આવેલ દરેક વ્યક્તિ, પ્રકરણ ૧૩ ના
હેતુઓ માટે તે પ્રકરણની જોગવાઈઓ હેઠળ એ રીતે છોડવામાં આવેલ ગણાશે.
(B) આ કલમ હેઠળ કોઈ
પણ મેજિસ્ટ્રેટ પોલીસે કરેલી આરોપીનીઅટકાયતને અધિકૃત કરશે નહિ, સિવાય કે આરોપીને જ્યાં સુધી તે પોલીસ હવાલામાં રહે ત્યારે
પ્રથમવાર અને પછી દરેક સમયે મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હોય, પરંતુ જ્યારે આરોપીને એની સમક્ષ રૂબરૂમાં અથવા તો
વીડિયોગ્રાફીલિંકેજ દ્વારા રજૂ કરવામાં આવે ત્યારે તે તેની અટકાયતને ન્યાયિક
કેદમાં લંબાવી શકશે. (ગુજરાત રાજ્ય સુધારો - 16/08/2003)
CrPC
ARTICLE 168.
નીચેના દરજ્જાના પોલીસ અધિકારીએ કરવાનો પોલીસ
તપાસનો રિપોર્ટ પોલીસ સ્ટેશનના ઈનચાર્જઅધિકારીને કરવો જોઈએ.
CrPC
ARTICLE 169.
પુરાવો અપૂરતો હોય ત્યારે આરોપીનેમેજિસ્ટ્રેટની
સમક્ષ તેને ફરમાવવામાં આવે ત્યારે હાજર થવા માટે પોતે આદેશ આપે તેવો જામીન સહિતનો
કે તે વિનાનો મુચરકો આપે તો તે અધિકારીએઆરોપીને કસ્ટડીમાં મુક્ત કરવો જોઈએ.
CrPC
ARTICLE 170
પુરાવો પૂરતો હોય ત્યારે કેશ મેજિસ્ટ્રેટને
મોકલી આપવો જોઈએ.
CrPC
ARTICLE 171.
-કોઈ ફરિયાદી કે સાક્ષીઓને કોર્ટમાં જતો હોય
ત્યારે કોઈ પોલીસ અધિકારીની સાથે ત્યાં જવાનું ફરમાવી શકાશે નહીં અને બિનજરૂરી
અવરોધ કે અગવડ કરી શકાશે નહીં.
CrPC
ARTICLE 172.
પોલીસ તપાસમાંકાર્યવાહીની નોંધ ડાયરીમાં કરી
અને તપાસમાંજણાવેલ સંજોગો દર્શાવવા જોઈએ,
CrPC
ARTICLE 173.
પોલીસ તપાસ પૂરી થયે પોલીસ અધિકારીએગુનાની
ન્યાયિક કાર્યવાહી કરવાની સત્તા ધરાવતાં મેજિસ્ટ્રેટને રાજ્ય સરકારે
ઠરાવેલનમૂનામાં રિપોર્ટ મોકલવો જોઈએ.
CrPC ARTICLE 174.
પોલીસે આત્મહત્યા વગેરેની જાણ થતાં
એક્ઝિક્યુટિવમેજિસ્ટ્રેટને જાણ કરી, તપાસ કરીને તે
અંગેનો રિપોર્ટ તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ કે પેટા વિભાગીયમેજિસ્ટ્રેટને મોકલી
આપવો જોઈએ,
CrPC ARTICLE 175.
કલમ- 174 હેઠળ કાર્યવાહી
કરનાર પોલીસ અધિકારી ઉપર્યુક્ત બે કે તેથી વધુ વ્યક્તિઓને કેસની હકીકતથી માહિતગાર
હોય તેને લેખિત હુકમ કરીને સદરહુ તપાસ માટે બોલાવી શકશે.
CrPC
ARTICLE 176.
મેજિસ્ટ્રેટે કોઈ મૃત્યુ થયું હોય તો તેના કારણ
જાણવાની સત્તા તેને રહેશે,
0 ટિપ્પણીઓ
Please do not share links in comment