(૬૪) બ્રાહ્મણના પગ
અકબરને વાતવાતમાં બીરબલની મશ્કરી કરવાની ટેવ પડી
હતી. તેથી મોકો મળતાં જ વિચિત્ર સવાલ પૂછતો.
એક વખત બાદશાહે ઠાવકું
મોં રાખીને પૂછયું - “બીરબલ તમારા શાસ્ત્રોએ ગાયને માતા કહી છે, છતાં તું ગાયના ચામડાના
જોડા શા માટે પહેરે છે?
આ તે જાણી જોઈને પાપ
કર્યું ગણાય....' બીરબરે જરાપણ ખોટું લગાડ્યા વગર એટલી જ ગંભીરતાથી જવાબ આપ્યો -
‘જહાંપનાહ, હું બ્રાહ્મણ છું. શાસ્ત્રોમાં કહ્યું છે કે છે. બ્રાહ્મણનો પગ તીર્થ
સમાન છે. એના સ્પર્શથી પ્રાણીની મુક્તિ થઈ જાય છે. તે જ કારણે હું ગાયની ખાલના
જોડા પહેરુ છું.’ આ જવાબ સાંભળી બાદશાહ ચુપ થઈ ગયા.
read (૬૩) સૌથી ઉજળુ શું ?
0 ટિપ્પણીઓ
Please do not share links in comment