(૧૦૦) કુલ સંખ્યા
એક વખત અકબર બાદશાહે
બીરબલને પૂછયું - “બીરબલ ! આકાશમાં તારા કેટલા હશે. તેની જરા સંખ્યા કહી બતાવ.”
બીરબલે કહ્યું કે કાલે
જવાબ આપીશ, કચેરી બારખાસ્ત થયા પછી બીરબલે ઘેર જઈને એક મોટો કાગળ લીધો. પછી આખા
કાગળમાં સોયના કાણા પાડયા. એવી ખુબીથી કાણા પાડયા કે કોઈ ગણી જ ન શકે અને ધારોકે
કોઈ ગણવા બેસે તો ભુલ થઈ જ જાય.
બીજા દિવસે બીરબલે જેવો
દરબારમાં પગ મુકાયો કે તરત બાદશાહે પોતાના સવાલનો જવાબ માગ્યો. એટલે બીરબલે તરત
હજા પર છિદ્ર વાળો કાગળ રજુ કરતા કહ્યું- નેક નામદાર ! આ કાગળમાં જેટલા છિદ્ર છે,
તેટલા જ આકાશમાં તારા છે. ગણી જોવા હોય તો ગણી લો.”
આવો જવાબ મળતા બાદશાહ
બીરબલની ચાતુરી પર આફ્રિન થઈ ગયો.
read (૯૯) સમય સુચકતા
0 ટિપ્પણીઓ
Please do not share links in comment