મઠવાસી સંઘની શરૂઆત... વરાહનગર મઠ
સ્વામી વિવેકાનંદ,જીવન પરિચય,
ગુરુના મૃત્યુ પછી મઠવાસીઓએ વિવેકાનંદના નેતૃત્વમાં ગૃહસ્થ અનુયાયીઓની નાણાંકીય મદદથી ગંગા નદીના કાંઠે બારાનગર ખાતે એક અર્ધ ખંડેર મકાનમાં એક મઠવાસી સંઘની રચના કરી. તે અનુયાયીઓનો પ્રથમ મઠ બન્યો. આ અનુયાયીઓ રામકૃષ્ણના પંથના પ્રથમ અનુયાયીઓ બન્યા.
બારાનાગોરના જીર્ણ મકાનની પસંદગી એટલા માટે કરવામાં આવી હતી કે રામકૃષ્ણનો જ્યાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો તે કોસીપોર ઘાટની નજીક આ મકાન હતું અને તેનું ભાડુ પણ ઓછું હતું. નરેન્દ્ર અને મઠના અન્ય સભ્યો તેમનો સમય ધ્યાન ધરવામાં, વિવિધ તત્ત્વચિંતનો અંગે તેમજ રામકૃષ્ણ, શંકરાચાર્ય, રામાનુજ અને જીસસ ક્રાઈસ્ટ સહિતના આધ્યાત્મિક ગુરુઓના ઉપદેશો અંગે ચર્ચા કરવામાં વિતાવતા હતા. મઠના પ્રારંભિક દિવસોને નરેન્દ્ર યાદ કરતાં કહેતા...
‘બારાનાગોર મઠ ખાતે અમે ઘણી બધી
ધાર્મિક ક્રિયાઓ કરતા, વહેલી સવારે ૩.૦૦ કલાકે અમે ઊઠી જતા હતા અને જપ અને
ધ્યાનમાં ડૂબી જતા હતા. એ દિવસોમાં વિતરાગની કેવી તીવ્ર વૃત્તિ અમારામાં હતી !
દુનિયા અસ્તિત્વ ધરાવે છે કે નહીં એનો પણ વિચાર અમને નહોતો.’’ ૧૮૮૭ ના પ્રારંભિક
સમયમાં નરેન્દ્ર અને અન્ય આઠ અનુયાયીઓએ મઠની ઔપચારિક પ્રતિજ્ઞાઓ લીધી.
read સ્વામી વિવેકાનંદ,જીવન પરિચય, ગુરુદેવની મહાસમાધિ
0 ટિપ્પણીઓ
Please do not share links in comment