header

સ્વામી વિવેકાનંદ,જીવન પરિચય, ગુરુદેવની મહાસમાધિ, Mahasamadhi of Gurudev

 

ગુરુદેવની મહાસમાધિ



   સ્વામી વિવેકાનંદ,જીવન પરિચય,

                ઈ.સ. ૧૮૮૫ માં રામકૃષ્ણને ગળાનું કેન્સર થતાં તેઓ કોલકાતા રહેવા ચાલ્યા ગયા અને પાછળથી કોસીપોર ગયા. વિવેકાનંદ અને તેમના સખા અનુયાયીઓએ રામકૃષ્ણની તેમના અંતિમ દિવસોમાં શુશ્રૂષા કરી. રામકૃષ્ણના માર્ગદર્શન હેઠળ તેમનું આધ્યાત્મિક જીવન ચાલુ જ રહ્યું હતું. કોસીપોર ખાતે વિવેકાનંદને વારંવાર નિર્વિકલ્પ સમાધિનો સાક્ષાત્કાર થયો હોવાનું કહેવાય છે. 


            રામકૃષ્ણના છેલ્લા દિવસોમાં વિવેકાનંદ અને તેમના કેટલાક અનુયાયીઓને રામકૃષ્ણએ સંન્યાસીના વસ્ત્રો આપ્યા અને ત્યારથી તે રામકૃષ્ણ મઠના સંન્યાસી બન્યા. વિવેકાનંદને શીખવાડવામાં આવ્યું હતું કે માનવજાતની સેવા ઈશ્વરની સૌથી અસ૨કા૨ક સેવા છે. એવું નોંધાયુ છે કે જ્યારે વિવેકાનંદે અવતાર અંગેના રામકૃષ્ણના દાવા સામે શંકા ઉઠાવી ત્યારે તેમણે એવું કહ્યું હોવાનું મનાય છે કે, ‘એજ રામ હતા, એજ કૃષ્ણ હતા, હવે તે પોતે રામકૃષ્ણના શરીરમાં છે.’ 


                અંતિમ દિવસોમાં રામકૃષ્ણએ વિવેકાનંદને મઠના અન્ય અનુયાયીઓની સંભાળ લેવા જણાવ્યું હતું અને ત્યારબાદ તેમને વિવેકાનંદને તેમના નેતા તરીકે સ્વીકારવા જણાવ્યું હતું. રામકૃષ્ણની સ્થિતિ ક્રમશઃ બગડતી ગઈ હતી અને તેઓ કોસીપોરના ગાર્ડન હાઉસમાં ૧૬ ઑગસ્ટ, ૧૮૮૬ એ વહેલી સવારે મહાસમાધિમાં લીન થઈ ગયા.


read  સ્વામી વિવેકાનંદ,જીવન પરિચય, ગુરુ-શિષ્ય સંબંધ




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ