પશ્ચિમની પ્રથમ મુલાકાત
સ્વામી વિવેકાનંદ,જીવન પરિચય,
શંકર પંડિતના વિચારબીજ અને ગુરુભાઈના
આગ્રહને વશ થઈને સ્વામીજીએ અમેરિકાના શિકાગો ખાતે યોજાનારી વિશ્વધર્મ પરિષદમાં
ભારતના પ્રતિનિધિ તરીકે જવાની સંમતિ દર્શાવી. મદ્રાસના તેમના ભક્તો, મૈસુર રામનદ,
ખેતડીના રાજા, દીવાન અને અન્ય અનુયાયીઓએ એકઠા કરેલા ભંડોળની મદદથી વિવેકાનંદ ૩૧મી
મે, ૧૮૯૩ એ મુંબઈથી (ખેતડીના મહારાજાએ સૂચવેલું ‘વિવેકાનંદ’ નામ ધારણ કરીને)
શિકાગો જવા નીકળ્યા.
તેઓ ચીન, જાપાન, કેનેડા થઈને જુલાઈ ૧૮૯૩ માં શિકાગો પહોંચ્યા. પરંતુ એ જાણીને તેમને નિરાશા થઈ કે અધિકૃત સંગઠનની સત્તાવાર ઓળખાણ વિના કોઈપણ વ્યક્તિને પ્રતિનિધિ તરીકે સ્વીકારવામાં આવશે નહીં. તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર જહોન હેનરી રાઈટના સંપર્કમાં આવ્યા.
હાર્વર્ડ ખાતે તેમને
બોલવાનું આમંત્રણ આપ્યા પછી જ્યારે રાઈટે જાણ્યું કે તેમની પાસે સંસદમાં બોલવા
માટેનું સત્તાવાર ઓળખપત્ર નથી, ત્યારે રાઈટે એવું કહ્યું હોવાનું નોંધાયું કે,
“તમારી પાસે ઓળખપત્ર માંગવું એટલે સ્વર્ગમાં પ્રકાશવા માટેનો પોતાનો અધિકાર
જણાવવાનું સૂર્યને પૂછવા બરોબર છે’ રાઈટે ત્યારબાદ પ્રતિનિધિઓનો ચાર્જ સંભાળતા
અધ્યક્ષને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું કે, “અહીં એક એવો માણસ છે, જે આપણા
તમામ વિદ્વાન પ્રોફેસર ભેગા થાય તો પણ તેમનાથી વધારે વિદ્વાન છે.’’ પ્રોફેસ૨ ૫૨
વિવેકાનંદ પોતે લખે છે, ‘‘ધર્મ સંસદમાં જવા માટેની જરૂરિયાત તેમણે મને સમજાવી, તેઓ
માનતા હતા કે આનાથી દેશને ઓળખ મળશે.’’
read સ્વામી વિવેકાનંદ,જીવન પરિચય, વિદેશયાત્રાનું વિચારબીજ
downlod pdf click here
0 ટિપ્પણીઓ
Please do not share links in comment