header

સ્વામી વિવેકાનંદ,જીવન પરિચય, વિદેશયાત્રાનું વિચારબીજ, Idea of foreign travel

 

વિદેશયાત્રાનું વિચારબીજ



   સ્વામી વિવેકાનંદ,જીવન પરિચય,

                    ભારતભ્રમણ કરતાં કરતાં જ્યારે સ્વામીજી ગાંધી જન્મભૂમિ પોરબંદરમાં આવ્યા, ત્યાં તેમનો મેળાપ તે વખતના રાજ્યના એડમિનિસ્ટ્રેટર શ્રી શંકર પાંડુરંગ પંડિત સાથે થયો. પંડિત અને સ્વામીજી વચ્ચે સારી એવી મૈત્રી જામી. શંકર પંડિત વેદના અઠંગ અભ્યાસી હતા; એ વખતે તેઓ વેદોનો અનુવાદ કરી રહ્યા હતા.


                 સ્વામીજીની વેદાંતશાસ્ત્રમાં પ્રવીણતા જોઈ તેઓ મુગ્ધ બન્યા. સ્વામીજીએ તેમને વેદોના અનુવાદ જેવા કઠિન કાર્યમાં મદદ કરી. સ્વામીજી પોરબંદરમાં અગિયાર માસ રોકાયા. આ દરમિયાન સ્વામીજીએ પતંજલિના મહાભાષ્યનો અને ફ્રેંચ ભાષાનો અભ્યાસ કર્યો. શંકર પંડિતે એક દિવસ જાણે કે સ્વામીજીના અંતરના અવાજનો પડઘો પાડતા હોય એમ કહ્યું : ‘સ્વામીજી લાગે છે કે આ દેશમાં તમારી કિંમત થશે નહીં; તમારે પશ્ચિમના દેશોમાં જવું જોઈએ. ત્યાંના લોકો તમને સમજી શકશે અને તમારી કદર કરશે. ખરેખર! પશ્ચિમમાં સનાતન ધર્મનો પ્રચાર કરીને નાખી શકશો' શંકર પંડિતના આ જ વિચારબીજે ભવિષ્યમાં વટવૃક્ષનું સ્વરૂપ ધારણ કર્યું.

 

                આમ, સ્વામીજીમાં વિદેશયાત્રાનું વિચારબીજ સૌ પ્રથમ સાવજભૂમિ ગુજરાતમાં રોપાયું.




read  સ્વામી વિવેકાનંદ,જીવન પરિચય, ભારત ભ્રમણ-તીર્થાટન


download pdf click here


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ