header

ગુજરાતના જિલ્લાઓની સફરે (બોટાદ, ભરૂચ)(A trip to the districts of Gujarat)

 

 બોટાદજિલ્લો


ગુજરાતના જિલ્લાઓની સફરે



 

 1. બોટાદ : જિલ્લાનું મુખ્ય મથક છે . રાષ્ટ્રીય શાયર ઝવેરચંદમેઘાણીની કર્મભૂમિ છે .

 

2. સાળંગપુર:હનુમાનજીનું મોટું અને પ્રખ્યાત મંદિર છે . અહીંનુંસ્વામિનારાયણનું મંદિર ભવ્ય અને જોવાલાયક છે .

 

૩. ભીમનાથ:નીલકા નદીના કાંઠે મહાદેવનું મોટું અને પ્રખ્યાત દેવાલય છે .

 

4. ગઢડા : સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્ત્વનું તીર્થસ્થળ છે . ભગવાન સ્વામિનારાયણની મૂળ જગ્યા અને અક્ષર પુરુષોત્તમ સંસ્થાએ બનાવેલું ભવ્ય મંદિર છે .

 

 ભરૂચ જિલ્લો

 

1. ભરૂચ : નર્મદા નદીના કિનારે ભૃગુ ઋષિએ વસાવેલું ‘ ભૃગુતીર્થ ’ , કાળક્રમે અપભ્રંશ થઈને ભરૂચ થયું . જિલ્લાનું મુખ્ય મથક છે . પ્રાચીન સમયમાં ભરૂચ ગુજરાતનું સમૃદ્ધ બંદર હતું . અહીં આવેલો ' વિક્ટોરિયા ક્લૉક. ટાવર ’ ભરૂચની શોભા વધારે છે . પ્રખ્યાત ત ગોલ્ડન બ્રિજ ‘ નદીના બંને કિનારાને જોડે છે

 

2. ભાડભૂત: અહીં દર 18 વર્ષે કુંભમેળો ભરાય છે .

 

3. શુક્લતીર્થ : ભરૂચથી 16 કિમી દૂર આવેલા આ સ્થળનું પ્રાકૃતિક સૌંદર્ય માણવા જેવું છે . અહીં દર કાર્તિકી પૂર્ણિમાએ મેળો ભરાય છે .

 

4. કબીરવડ : શુક્લતીર્થ નજીક , નર્મદા નદીના પટની મધ્યમાં કબીરવડ આવેલો છે . એવી માન્યતા છે કે કબીરજીએ ફેંકી દીધેલાવડનાદાતણમાંથી આ વિશાળ વડ થયો છે . તે આશરે 600 વર્ષ જૂનો છે .

 

5. અંક્લેશ્વર : અંક્લેશ્વર કુદરતી ગૅસ અને તેલના ભંડારને કારણે વિશ્વવિખ્યાત છે . રાસાયણિક બનાવટોના વિવિધ ઉદ્યોગોખીલ્યા છે .

 

6. ગંધાર : અહીંથી તેલ અને કુદરતી ગૅસના ભંડાર મળ્યા છે .

 

7. દહેજ : ભારતનું એકમાત્ર લિક્વિડ કેમિકલ માટેનું બંદર અહીં આવેલું છે .

 

8. અલિયાબેટ : ભારતનું પ્રથમ સાગરીય ખનીજ તેલ ( ઈ.સ. 1970 ) નું ક્ષેત્ર અહીં આવેલું છે .



 Download PDF click here

 

પોરબંદર,બનાસકાંઠા


ભાવનગર જિલ્લો





ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ